પરંપરાગત ખેતી છોડી ડાંગ જિલ્લાના ખેડૂત રાજેશભાઈ ગાવિતે શરૂ કરી મશરૂમની ખેતી

Facebook
Twitter
WhatsApp
Telegram

 
 ઓછા ખર્ચ અને ટૂંકા સમયમાં મુલ્ય વર્ધક પાકની ખેતી એટલે મશરૂમની ખેતી
 મશરૂમની ખેતીથી ૨૫થી ૩૦ દિવસમાં પાકમાં બમણી કમાણી થઈ રહી છે
: ખેડૂત રાજેશભાઈ ગાવિત

સુરત: શુક્રવાર: ભારતના ખેડૂતો જાગૃત થઈ રહ્યા છે. પરંપરાગત પાકો ઉપરાંત તેઓ નવા પાક દ્વારા નફો કમાઈ રહ્યા છે. મોટી સંખ્યામાં ગામડાના ખેડૂતો પણ આધુનિક ખેતી તરફ વળ્યા છે. ત્યારે દયાળજી અનાવિલ કેળવણી મંડળ, મજુરાગેટ ખાતે આયોજિત મિલેટ્સ મેળામાં આવેલ ડાંગ જિલ્લા વઘઈ તાલુકાના કોસમાડ ગામના પ્રગતિશીલ ખેડૂત રાજેશભાઈ ગાવિતની આ વાત છે.
કોસમાડ ગામના ખેડૂત રાજેશભાઈ ગાવિતે મશરૂમની સફળ ખેતી વિશે સમજાવતા કહ્યું હતું કે, વર્ષોથી બાપ-દાદાના સમયથી પારંપરિક ખેતી કરતા હતા. પણ આધુનિક યુગમાં ખેતી કરવી આટલી સરળ હશે તેવું કયારેય વિચાર્યું નઈ હતું. તે આ મશરૂમની ખેતીથી સાબિત થઈ રહ્યું છે. ખેતીમાં રોકડીયા પાક સાથે શાકભાજીનું વાવેતર કરતા હતા. ખેતીમાં આધુનિક કરણ લાવવા માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈ
ખાતે તાલીમ આપવામાં આવી હતી. તાલીમ મેળવ્યા બાદ ૨૮ કિલો બીજના પ્લાન્ટેશનમાં ૬૦ કિલો મશરૂમની પાક મેળવ્યો હતો.મિલ્કી મશરૂમની ખેતીમાં ૨૫થી ૩૦ દિવસમાં જ ફ્લાવરિંગ આવી જાય છે. મશરૂમ ૩૫૦થી ૪૦૦ રૂપિયા પ્રતિ કિલો સુધી વેચાય છે. ઘણીવાર સિઝનના સમયમાં ૫૦૦થી ૬૦૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવ પણ મળે છે.
વધુમાં રાજેશભાઈ એ જણાવ્યું હતું કે, મશરૂમની ખેતીની મદદથી ખેડૂતો વાસ્તવમાં તેમની વર્તમાન આવક કરતાં વધુ કમાણી કરી શકે છે. મશરૂમની ખેતી માટે ન તો મોટા રોકાણની જરૂર છે કે, ન તો મોટા પ્લોટની જરૂર છે. જે છત નીચે મશરૂમની ખેતી કરવામાં આવે છે તેનો ઉપયોગ આખા વર્ષ દરમિયાન મશરૂમની ખેતી માટે પાણીના સ્ત્રોત તરીકે થઈ શકે છે. એવા કેટલાક મશરૂમ છે જે ભારતમાં એર કન્ડીશનીંગ વગર ઉગાડી શકાય છે જેમ કે દૂધિયું મશરૂમ અને બટન મશરૂમ તેમજ મિલ્કી મશરૂમની ખેતી થઈ શકે છે.
ગાવિત ખેડૂતોને વિવિધ રાજ્ય પ્રશિક્ષણ સુવિધાઓમાં મશરૂમની ખેતીમાં તાલીમ લેવા માટે પ્રોત્સાહિત કરે છે. ઘણા ખેડૂતોને મશરૂમની ખેતીની તાલીમ પોઅન આપુ છું. એ બદલ આત્મા પ્રોજેક્ટ તરફથી મને રૂ.૧૦ હજારનો રોકડ પુરસ્કાર અને એવોર્ડ પણ મળ્યો છે.
વિશેષ મશરૂમમાં એન્ટી-ઓક્સિડન્ટ ગુણધર્મો અને બીટા-ગ્લુકન્સ નામની જટિલ શર્કરા હોય છે. ગાવિત કહે છે કે, અન્નદાતાનું જીવન વિશ્વને આરોગ્ય અને સમૃદ્ધિ આપવા માટે બન્યું છે એમાં મારૂ પણ યોગદાન રહે તે માટે પ્રાકૃતિક આહાર થકી સમાજને કંઇક સારું પીરસવું છે. અને સરકારે આવા મિલેટ્સ મેળા થકી ખેડૂતોને ઘર આંગણે મોટું માર્કેટ પૂરું પડ્યું છે એ બદલ રાજ્ય સરકારને આભાર ની લાગણી વ્યક્ત કરું છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

The specified slider does not exist.

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

બાપા સીતારામ ની મઢુલી બુધલેશ્વર ખાતે પૂણ્યસ્લોક અહલ્યાબાઈ હોલકરની 300 મી જન્મજ્યંતી ની ઉજવણી કરવામાં આવી.

બાપા સીતારામ ની મઢુલી બુધલેશ્વર ખાતે પૂણ્યસ્લોક અહલ્યાબાઈ હોલકરની 300 મી જન્મજ્યંતી ની ઉજવણી કરવામાં આવી. મહુવા તાલુકાના બુધલેશ્વર ખાતે આવેલ બાપા સીતારામ ની મઢુલી

ખેડૂતો બિયારણની ખરીદી વખતે વિશેષ તકેદારી રાખે

ખેડૂતો બિયારણની ખરીદી વખતે વિશેષ તકેદારી રાખે અધિકૃત લાયસન્સ/પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ, ખાનગી વિક્રેતા પાસેથી જ બિયારણ ખરીદવા અનુરોધ આગામી ખરીફ ઋતુમાં વાવેતર

ધારાસભ્ય સંદિપભાઈ દેસાઈએ નવી સિવિલના વિવિધ વોર્ડના દર્દીનારાયણ સાથે ૫૩મા જન્મદિવસની સેવાસભર ઉજવણી કરી

ધારાસભ્ય સંદિપભાઈ દેસાઈએ નવી સિવિલના વિવિધ વોર્ડના દર્દીનારાયણ સાથે ૫૩મા જન્મદિવસની સેવાસભર ઉજવણી કરી નવી સિવિલના આંખ વિભાગમાં રૂ.૧૦ લાખનું ઓપરેટિવ માઈક્રોસ્કોપ મશીનનું ધારાસભ્ય સંદિપભાઈ

આરોગ્ય વિભાગના નાયબ નિયામક ડો.જે.એમ. કતીરાના અધ્યક્ષસ્થાને લેપ્ટોસ્પાયરોસીસ રોગના અટકાયત અને નિયંત્રણ માટેની સમીક્ષા બેઠક મળી

આરોગ્ય વિભાગના નાયબ નિયામક ડો.જે.એમ. કતીરાના અધ્યક્ષસ્થાને લેપ્ટોસ્પાયરોસીસ રોગના અટકાયત અને નિયંત્રણ માટેની સમીક્ષા બેઠક મળી ચોમાસાની ઋતુને ધ્યાને લઈ લેપ્ટોના નિયંત્રણ માટે ચાર જિલ્લાઓના

error: Content is protected !!