આજે બારડોલીના ઇસરોલી ખાતે પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્યપર્વની ઉજવણી કરવામાં આવશે

Facebook
Twitter
WhatsApp
Telegram

આજે બારડોલીના ઇસરોલી ખાતે પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્યપર્વની ઉજવણી કરવામાં આવશે.
નાણા, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી અને સુરત જિલ્લા પ્રભારી મંત્રી કનુભાઇ દેસાઇની ઉપસ્થિતિમાં ૧૫મી, ઓગષ્ટ: ૭૮મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી સવારે ૦૯:૦૦ વાગે બારડોલી તાલુકાના ઇસરોલી સ્થિત આર.એન.જી પટેલ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી ખાતે કરવામાં આવશે. પ્રભારી મંત્રી રાષ્ટ્રના આન, બાન અને શાન સમા રાષ્ટ્રધ્વજને સલામી આપી પરેડ નિરીક્ષણ કરશે.
જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય પર્વની ઉજવણી જિલ્લા મથકે ન કરતા વારાફરતી તાલુકા મથકોએ કરવાનો અભિગમ રાજ્ય સરકાર દ્વારા અપનાવવામાં આવ્યો છે. જે શ્રૃંખલામાં વહીવટીતંત્ર દ્વારા સુરત જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનું આયોજન બારડોલી તાલુકામાં કરાયું છે.
આ અવસરે મંત્રીશ્રી પ્રજાજોગ સંબોધન કરી રાજય સરકાર દ્વારા સુરત જિલ્લાના નાગરકોની સુખાકારી તેમજ જિલ્લાના વિકાસ માટે કરવામાં આવી રહેલી કામગીરીથી પ્રજાને વાકેફ કરશે. આ ઉપરાંત તેઓ વિશિષ્ટ કામગીરી કરનાર તેમજ વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનાર વ્યક્તિઓનું સન્માન પણ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

The specified slider does not exist.

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

રાજ્યના ખેડૂતોના હિતમાં ખેતી વિષયક વીજ જોડાણના નિયમોમાં રાજ્ય સરકારે કર્યા ઐતિહાસિક ફેરફાર

રાજ્યના ખેડૂતોના હિતમાં ખેતી વિષયક વીજ જોડાણના નિયમોમાં રાજ્ય સરકારે કર્યા ઐતિહાસિક ફેરફાર ૭-૧૨ના ઉતારામાં એક કરતા વધારે સહમાલીક હોય તો વીજ જોડાણ મેળવવા માટે

માનવ કલ્યાણ યોજના અંતર્ગત ૧૦ જેટલા વ્યવસાય કરવા માટે વિનામૂલ્યે સાધન સહાય કિટ્સ માટે અરજી કરવા અનુરોધઃ

માનવ કલ્યાણ યોજના અંતર્ગત ૧૦ જેટલા વ્યવસાય કરવા માટે વિનામૂલ્યે સાધન સહાય કિટ્સ માટે અરજી કરવા અનુરોધઃ અરજદારે https://e-kutir.gujarat.gov.in પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવા અનુરોધઃ

અડાજણ પોલીસે માતા-પિતાથી વિખૂટી પડેલી ચાર વર્ષની બાળકીનું માતાપિતા સાથે પુનઃમિલન કરાવ્યું

અડાજણ પોલીસે માતા-પિતાથી વિખૂટી પડેલી ચાર વર્ષની બાળકીનું માતાપિતા સાથે પુનઃમિલન કરાવ્યું પ્રયાગરાજથી સુરત ફરવા આવેલા દિવાકર પરિવારની ચાર વર્ષની બાળકી રમતા-રમતા ઘર પાસેથી ગુમ

તા.૪થી મેના રોજ ડી.આર.બી. કોલેજ, ભરથાણા ખાતે યોગ પ્રશિક્ષણ શિબિર યોજાશેઃ

તા.૪થી મેના રોજ ડી.આર.બી. કોલેજ, ભરથાણા ખાતે યોગ પ્રશિક્ષણ શિબિર યોજાશેઃ રમતગમત રાજયમંત્રી હર્ષ સંધવી તથા યોગબોર્ડના ચેરમેન ઉપસ્થિત રહેશેઃ સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત

error: Content is protected !!