માનવ કલ્યાણ યોજના અંતર્ગત ૧૦ જેટલા વ્યવસાય કરવા માટે વિનામૂલ્યે સાધન સહાય કિટ્સ માટે અરજી કરવા અનુરોધઃ

Facebook
Twitter
WhatsApp
Telegram

માનવ કલ્યાણ યોજના અંતર્ગત ૧૦ જેટલા વ્યવસાય કરવા માટે વિનામૂલ્યે સાધન સહાય કિટ્સ માટે અરજી કરવા અનુરોધઃ

અરજદારે https://e-kutir.gujarat.gov.in પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવા અનુરોધઃ
માનવ કલ્યાણ યોજના વર્તમાન વર્ષ ૨૦૨૫–૨૬ માટે રાજય સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગના કમિશ્નરશ્રી, કુટિર અને ગ્રામોદ્યોગ ગાંધીનગરની કચેરી દ્વારા માનવ કલ્યાણની યોજનાની કામગીરી પારદશર્ક બને તેવા આશયથી ઘર બેઠા અરજી કરી શકે તે માટે ઓનલાઈન અરજીની વ્યવસ્થા કરવામાં આવી છે. સમાજના નબળા વર્ગના લોકો, જેમણે નાના પ્રકારના ધંધા કે રોજગાર શરૂ કરવા હોય, તેમને તેમના વ્યવસાયને અનુરૂપ સાધન-ઓજાર સહાયરૂપે આપવામાં આવે છે. જેમાં અથાણા બનાવટ, ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ રીપેરીંગ, દુધ-દહી વેચાણ, પંચર કીટ, પાપડ બનાવટ, પ્લમ્બિંગ, બ્યુટી પાર્લર, ભરતકામ, વાહન સર્વિસીંગ અને રીપેરીંગ તથા સેન્ટીંગ કામ વગેરે માટે સહાય આપવામાં આવે છે.
આ યોજનાનો લાભ લેવા માટે અરજદારોએ https://e-kutir.gujarat.gov.in પોર્ટલ પર જઈને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. નજીકના CSC સેન્ટર પરથી ઓનલાઈન કરી શકાય છે. જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા અમલમાં મુકવામાં આવતી આ યોજના સંપૂર્ણપણે નિઃશુલ્ક છે અને માટે કોઈ પણ એજન્ટ, દલાલ કે અનધિકૃત વ્યક્તિને અરજી પ્રક્રિયામાં જોડાવાની કોઈ માન્યતા આપવામાં આવી નથી તેમ સુરત જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજરની યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

The specified slider does not exist.

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

અમદાવાદ વિમાન દુર્ઘટના અપડેટ, તા. 14-06-2025

અમદાવાદ વિમાન દુર્ઘટના અપડેટ, તા. 14-06-2025 રાજ્ય સરકારની સંપૂર્ણ સજ્જતાથી નશ્વર અવશેષો સોંપવાની કામગીરી વધુ ઝડપી બની નશ્વર અવશેષો સોંપવા માટે ડૉક્ટર્સ, સહાયકો, ડ્રાઈવરોની 591

એર ઇન્ડિયા પ્લેન દુર્ઘટનાના મૃતકોના પાર્થિવ દેહની સોંપણી અંગેની મહત્વપૂર્ણ સૂચના

એર ઇન્ડિયા પ્લેન દુર્ઘટનાના મૃતકોના પાર્થિવ દેહની સોંપણી અંગેની મહત્વપૂર્ણ સૂચના પાર્થિવ દેહને ઘર સુધી બાય રોડ પહોંચાડવા માટે સરકારી તંત્ર દ્વારા નિઃશુલ્ક એમ્બ્યુલન્સની વ્યવસ્થા

મહુવાના 11 ગામના 12 વોર્ડમાં કોઈએ ઉમેદવારી જ નોંધાવી નહિ.તાલુકાની 8 ગ્રામ પંચાયતમાં સરપંચ અને વોર્ડની ચૂંટણી યોજાશે.

મહુવાના 11 ગામના 12 વોર્ડમાં કોઈએ ઉમેદવારી જ નોંધાવી નહિ.તાલુકાની 8 ગ્રામ પંચાયતમાં સરપંચ અને વોર્ડની ચૂંટણી યોજાશે. પ્રાપ્ત વિગત મુજબ મહુવા તાલુકામાં ચૂંટણી કાર્યક્રમ

CISF ના ‘શ્રી અન્ના’ અભિયાનની સફળતા: CISF કર્મચારીઓના ભોજનમાં મિલેટ્સ (શ્રી અન્ન)નો ઉપયોગ ૩૦ % થી વધુ થયો

CISF ના ‘શ્રી અન્ના’ અભિયાનની સફળતા: CISF કર્મચારીઓના ભોજનમાં મિલેટ્સ (શ્રી અન્ન)નો ઉપયોગ ૩૦ % થી વધુ થયો CISF ની ONGC હજીરા યુનિટની મેસમાં ૩૦

error: Content is protected !!