તા.૯મી ઓગષ્ટ ‘ વિશ્વ આદિવાસી દિવસ’ની સુરત જિલ્લાના ત્રણ તાલુકાઓમાં ભવ્ય ઉજવણી કરાશે

Facebook
Twitter
WhatsApp
Telegram

તા.૯મી ઓગષ્ટ ‘ વિશ્વ આદિવાસી દિવસ’ની સુરત જિલ્લાના ત્રણ તાલુકાઓમાં ભવ્ય ઉજવણી કરાશે
 
સુરતના માંડવી,ઉમરપાડા અને મહુવા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાશે
 
નાણામંત્રી કનુભાઈ દેસાઈ ઉમરપાડા ખાતે અને આદિજાતિ વિકાસ મંત્રી માંડવી ખાતે આદિવાસી દિવસની ઉજવણીમાં સહભાગી થશે
વિશ્વમાં વસતા આદિવાસી ભાઈ બહેનોના સન્માન માટે સંયુક્ત રાષ્ટ્ર સંઘ (યુનો)એ તા.૯મી ઓગસ્ટને ‘વિશ્વ આદિવાસી દિન’ ઘોષિત કર્યો છે, જેના ભાગરૂપે દેશભરમાં સમગ્ર સુરત જિલ્લામાં પણ ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ઉજવણી ધૂમધામથી કરવામાં આવશે. સુરતના માંડવી,ઉમરપાડા અને મહુવા ખાતે તા.૯મીએ સવારે ૧૦.૦૦ વાગ્યે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીની સાથોસાથ વિવિધ યોજનામાં લાભાર્થીઓને યોજનાકીય સહાય વિતરણ કરાશે. આ અવસરે મુખ્યમંત્રીશ્રીના રાજયકક્ષાના કાર્યક્રમનું જીવત પ્રસારણ થશે.

સુરત જિલ્લામાં ઉમરપાડા તાલુકામાં મેઈન બજાર ખાતે નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ તથા ધારાસભ્ય ગણપતભાઇ વસાવા, માંડવી તાપી રીવરફ્રન્ટ ખાતે આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ અને મહુવા તાલુકાના વડવાડા ગામે તુલશી કોમ્પલેક્ષ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ તથા ધારાસભ્યશ્રી મોહનભાઇ ઢોડીયાની ઉપસ્થિતિમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણીમાં તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, ઉપપ્રમુખશ્રીઓ, તાલુકા પંચાયત ઉપસ્થિત રહેશે. આ અવસરે મહાનુભાવોના હસ્તે અનેકવિધ વિકાસકામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત થશે. આ ઉજવણીમાં સર્વે લોકોએ બહોળી સંખ્યામાં ભાગ લેવાનો માંડવીના પ્રાયોજના વહીવટદાર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

The specified slider does not exist.

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

રાજ્યના ખેડૂતોના હિતમાં ખેતી વિષયક વીજ જોડાણના નિયમોમાં રાજ્ય સરકારે કર્યા ઐતિહાસિક ફેરફાર

રાજ્યના ખેડૂતોના હિતમાં ખેતી વિષયક વીજ જોડાણના નિયમોમાં રાજ્ય સરકારે કર્યા ઐતિહાસિક ફેરફાર ૭-૧૨ના ઉતારામાં એક કરતા વધારે સહમાલીક હોય તો વીજ જોડાણ મેળવવા માટે

માનવ કલ્યાણ યોજના અંતર્ગત ૧૦ જેટલા વ્યવસાય કરવા માટે વિનામૂલ્યે સાધન સહાય કિટ્સ માટે અરજી કરવા અનુરોધઃ

માનવ કલ્યાણ યોજના અંતર્ગત ૧૦ જેટલા વ્યવસાય કરવા માટે વિનામૂલ્યે સાધન સહાય કિટ્સ માટે અરજી કરવા અનુરોધઃ અરજદારે https://e-kutir.gujarat.gov.in પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવા અનુરોધઃ

અડાજણ પોલીસે માતા-પિતાથી વિખૂટી પડેલી ચાર વર્ષની બાળકીનું માતાપિતા સાથે પુનઃમિલન કરાવ્યું

અડાજણ પોલીસે માતા-પિતાથી વિખૂટી પડેલી ચાર વર્ષની બાળકીનું માતાપિતા સાથે પુનઃમિલન કરાવ્યું પ્રયાગરાજથી સુરત ફરવા આવેલા દિવાકર પરિવારની ચાર વર્ષની બાળકી રમતા-રમતા ઘર પાસેથી ગુમ

તા.૪થી મેના રોજ ડી.આર.બી. કોલેજ, ભરથાણા ખાતે યોગ પ્રશિક્ષણ શિબિર યોજાશેઃ

તા.૪થી મેના રોજ ડી.આર.બી. કોલેજ, ભરથાણા ખાતે યોગ પ્રશિક્ષણ શિબિર યોજાશેઃ રમતગમત રાજયમંત્રી હર્ષ સંધવી તથા યોગબોર્ડના ચેરમેન ઉપસ્થિત રહેશેઃ સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત

error: Content is protected !!