સુરતની સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી-SVNIT અને સૂચિ સેમિકોન પ્રા.લિ. વચ્ચે સેમિકન્ડકટર ક્ષેત્રમાં સહયોગ માટે એમ.ઓ.યુ.

Facebook
Twitter
WhatsApp
Telegram

સુરતની સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી-SVNIT અને સૂચિ સેમિકોન પ્રા.લિ. વચ્ચે સેમિકન્ડકટર ક્ષેત્રમાં સહયોગ માટે એમ.ઓ.યુ.
સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (SVNIT) અને સૂચિ સેમિકોન પ્રા.લિ. વચ્ચે સેમિકન્ડકટર ટેક્નોલોજીના ક્ષેત્રમાં સહયોગ અને સંયુક્ત સંશોધન માટે એમ.ઓ.યુ. કરાયા છે. જેમાં SVNITના ડિરેકટર પ્રો.અનુપમ શુક્લા અને સુચિ સેમિકોનના મેનેજિંગ ડિરેક્ટરશ્રી અશોક મહેતાએ MoU-સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. બંને સંસ્થાઓના ફેકલ્ટી, વહીવટી સ્ટાફ, વિભાગો અને સંશોધન સંસ્થાઓ વચ્ચે સીધો સંપર્ક અને સહયોગ વધારવા માટેની વ્યૂહાત્મક ભાગીદારી કરવામાં આવી છે.
MoU અંતર્ગત જ્ઞાન વિનિમય, સંયુક્ત સંશોધન પ્રવૃત્તિઓ, પરિષદો અને સેમિનાર્સ, SVNIT ખાતે અર્ધચાલક ડિઝાઇન, પેકેજિંગ અને પરીક્ષણ માટેના એક સેન્ટર ઓફ એકસેલન્સની રચનાનું આયોજન છે.
સુચિ સેમિકોન ગુજરાતનો પ્રથમ સેમિકન્ડકટર OSAT પ્લાન્ટ હશે, જેનું લક્ષ્ય પ્રતિ દિવસ ૩ મિલિયન પીસના ઉત્પાદનનો છે. આગામી વર્ષોમાં સુચિ સેમિકોનમાં ૮૦૦થી વધુ રોજગારીની નવી તકો ઉભરશે. SVNIT સાથે સહકારમાં, સુચિ સેમિકોન એવા કોર્ષ તૈયાર કરશે જે વિદ્યાર્થીઓને સેમિકન્ડકટર ઉદ્યોગ વિશે વધુ શીખવામાં મદદ કરશે. SVNIT કેમ્પસમાં સેન્ટર ઓફ એક્સલન્સ નિર્માણ કરાશે. તા.૨જી, જુલાઈ- ૨૦૨૬ સુધી MoU કરવામાં આવ્યા છે. અને કરાર હેઠળ કરવામાં આવેલા કાર્યોની સમીક્ષાના આધારે વધુ બે વર્ષ માટે નવીનીકરણ શક્ય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

The specified slider does not exist.

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

રાજ્યના ખેડૂતોના હિતમાં ખેતી વિષયક વીજ જોડાણના નિયમોમાં રાજ્ય સરકારે કર્યા ઐતિહાસિક ફેરફાર

રાજ્યના ખેડૂતોના હિતમાં ખેતી વિષયક વીજ જોડાણના નિયમોમાં રાજ્ય સરકારે કર્યા ઐતિહાસિક ફેરફાર ૭-૧૨ના ઉતારામાં એક કરતા વધારે સહમાલીક હોય તો વીજ જોડાણ મેળવવા માટે

માનવ કલ્યાણ યોજના અંતર્ગત ૧૦ જેટલા વ્યવસાય કરવા માટે વિનામૂલ્યે સાધન સહાય કિટ્સ માટે અરજી કરવા અનુરોધઃ

માનવ કલ્યાણ યોજના અંતર્ગત ૧૦ જેટલા વ્યવસાય કરવા માટે વિનામૂલ્યે સાધન સહાય કિટ્સ માટે અરજી કરવા અનુરોધઃ અરજદારે https://e-kutir.gujarat.gov.in પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવા અનુરોધઃ

અડાજણ પોલીસે માતા-પિતાથી વિખૂટી પડેલી ચાર વર્ષની બાળકીનું માતાપિતા સાથે પુનઃમિલન કરાવ્યું

અડાજણ પોલીસે માતા-પિતાથી વિખૂટી પડેલી ચાર વર્ષની બાળકીનું માતાપિતા સાથે પુનઃમિલન કરાવ્યું પ્રયાગરાજથી સુરત ફરવા આવેલા દિવાકર પરિવારની ચાર વર્ષની બાળકી રમતા-રમતા ઘર પાસેથી ગુમ

તા.૪થી મેના રોજ ડી.આર.બી. કોલેજ, ભરથાણા ખાતે યોગ પ્રશિક્ષણ શિબિર યોજાશેઃ

તા.૪થી મેના રોજ ડી.આર.બી. કોલેજ, ભરથાણા ખાતે યોગ પ્રશિક્ષણ શિબિર યોજાશેઃ રમતગમત રાજયમંત્રી હર્ષ સંધવી તથા યોગબોર્ડના ચેરમેન ઉપસ્થિત રહેશેઃ સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત

error: Content is protected !!