મતદાન પુરુ થવાના ૪૮ કલાકના સમયગાળા દરમ્યાન ચૂંટણી પ્રચાર અંગેના પ્રતિબંધ દર્શાવતું પોલિસ કમિશનરનું જાહેરનામું.

Facebook
Twitter
WhatsApp
Telegram

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪
 
મતદાન પુરુ થવાના ૪૮ કલાકના સમયગાળા દરમ્યાન ચૂંટણી પ્રચાર અંગેના પ્રતિબંધ દર્શાવતું પોલિસ કમિશનરનું જાહેરનામું.
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત આગામી તા.૭/૫/૨૦૨૪ના રોજ મતદાન યોજાનાર છે. જેને અનુલક્ષીને પોલીસ કમિશનરશ્રીએ એક જાહેરનામા દ્વારા કેટલાક પ્રતિબંધો જાહેર કર્યા છે.
જાહેરનામા અનુસાર મતદાન પુરૂ થવા માટે નિયત થયેલ સમય સાથે પુરા થતા ૪૮ કલાકના સમયમાં ચુંટણી પ્રચાર કરવા ઉપર અને પ્રચારનો સમયગાળો પુરો થયા પછી રાજકીય પદાધિકારીઓ/પક્ષના કાર્યકરો/સરધસ કાઢનારાઓ/ચુંટણી પ્રચારકો વિગેરે કે જેઓને મતદાર વિભાગની બહારથી લાવવામાં આવ્યા હોય તેઓએ ચુંટણી પ્રચારના અંત પછી મતદાર વિભાગમાં હાજર રહેવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. પરંતુ મતદાન પુરું થવાના કલાક સાથે પુરા થતા ૪૮ કલાકના સમયગાળા દરમ્યાન ચુંટણી પ્રચાર માટે ઘેર ઘેર મુલાકાત લેતી વખતે એક સાથે વધુમાં વધુ પાંચ વ્યકિત જઈ શકશે, તે સમય દરમિયાન ચુંટણી પ્રચાર પક્ષના કાર્યકરો/નેતાઓ જેના પર પક્ષનું પ્રતિક હોય તેવી ટોપી/મફલર પહેરી શકશે પરંતુ બેનર પ્રદર્શીત કરી શકશે નહીં અને લોક પ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૨૬ હેઠળ પ્રતિબંધીત ચુંટણી પ્રચારમાં સામેલ ન થવાની શરતે સંસદ સભ્યો અને ધારાસભ્યો તેઓ જે મત વિભાગમાંથી ચુંટાયેલ હોય તે મત વિભાગમાં રોકાઇ શકશે. આ હુકમ તા.૮/૫/૨૦૨૪ સુધી અમલમાં રહેશે. હુકમનો ભંગ કરનાર સજાને પાત્ર ગણાશે.

Leave a Comment

The specified slider does not exist.

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

મૈત્રી ફાઉન્ડેશન બિગ બોસ ધમાકા 2025 માં મુસ્કાન ઇલેવન કઢૈયા ફાઇનલ વિજેતા.

મૈત્રી ફાઉન્ડેશન બિગ બોસ ધમાકા 2025 માં મુસ્કાન ઇલેવન કઢૈયા ફાઇનલ વિજેતા. સૂત્રો દ્વારા 8 એપ્રિલના રોજ પ્રાપ્ત થતી વિગત મુજબ મહુવા તાલુકાના નળધરા ગ્રાઉન્ડ

વિશ્વ હોમિયોપેથી દિવસ નિમિતે તા.૧૦મીએ લિંબાયત ખાતે નિઃશુલ્ક મેગા સર્વરોગ હોમિયોપેથી નિદાન અને સારવાર કેમ્પ યોજાશે

વિશ્વ હોમિયોપેથી દિવસ નિમિતે તા.૧૦મીએ લિંબાયત ખાતે નિઃશુલ્ક મેગા સર્વરોગ હોમિયોપેથી નિદાન અને સારવાર કેમ્પ યોજાશે નાગરિકોને હોમિયોપેથીક નિદાન-સારવારનો લાભ લેવા અનુરોધ હોમિયોપેથીના સંસ્થાપક માસ્ટર

કામદારોને તા.૧૭ એપ્રિલ સુધી ઈ-શ્રમ પોર્ટલ પર નોંધણી કરવાની તક

કામદારોને તા.૧૭ એપ્રિલ સુધી ઈ-શ્રમ પોર્ટલ પર નોંધણી કરવાની તક કામદાર તરીકે ઓળખ અને આયુષ્માન ભારત યોજના હેઠળ આરોગ્ય સહાય મળે એ માટે કેન્દ્રીય શ્રમ

રાજ્યમાં સ્ટેમ્પ ડ્યુટી એક્ટના અમલમાં સુગમતા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના મહત્વપૂર્ણ નિર્ણયો

રાજ્યમાં સ્ટેમ્પ ડ્યુટી એક્ટના અમલમાં સુગમતા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના મહત્વપૂર્ણ નિર્ણયો પ્રજાલક્ષી દરોના ઘટાડાથી સામાન્ય નાગરિકોને-મિલકતધારકોને વધુ સરળતા આપવાનો અભિગમ વડીલોપાર્જિત મિલકતના કિસ્સામાં