મતદાનના દિવસે ઔદ્યોગિક-વ્યાપારિક એકમો, દુકાનદારોએ તેમના ત્યાં નોકરી કરતા શ્રમયોગીઓને મતદાનના દિવસે સવેતન રજા આપવાની રહેશે

Facebook
Twitter
WhatsApp
Telegram

મતદાનના દિવસે ઔદ્યોગિક-વ્યાપારિક એકમો, દુકાનદારોએ તેમના ત્યાં નોકરી કરતા શ્રમયોગીઓને મતદાનના દિવસે સવેતન રજા આપવાની રહેશે
 
જો કોઈ કારખાનેદાર માલિક કે નોકરીદાતા અધિનિયમની જોગવાઈઓ વિરુધ્ધ વર્તન કરશે તો તેની સામે શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
 
જો કોઈ મતદારને મતદાન દિવસે રજા ન મળે તો આ નંબરો પર ફરિયાદ કરવા અનુરોધઃ
આગામી તા. ૦૭મી મે ના રોજ લોકતંત્રના સૌથી મોટા ઉત્સવ લોકસભાની ચૂંટણીનું મતદાન યોજાનાર છે. મતદાનના દિવસે મતાધિકાર ધરાવતી દરેક વ્યકિત કોઈપણ વ્યાપાર, ધંધા, રોજગાર, ઔદ્યોગિક એકમો કે કોઈપણ સંસ્થામાં નોકરી કરતા હોય તો તેમને મતદાનના દિવસે સંવેતન રજા આપવાની રહેશે.
જેથી ગુજરાત દુકાનો અને વાણિજ્ય સંસ્થા અધિનિયમ- ૨૦૧૯, કારખાના અધિનિયમ – ૧૯૪૮, બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કસ એક્ટ – ૧૯૯૬ તથા કોન્ટ્રાક્ટ લેબર અધિનિયમ – ૧૯૭૦ હેઠળ નોંધણી થયેલ સંસ્થા – સાઈટ પરના શ્રમયોગીઓ મતદાનના દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી તે માટે લોક પ્રતિનિધિત્વ ધારા – ૧૯૫૧ની કલમ ૧૩૫ (બી)ની જોગવાઈ અનુસાર સવેતન રજા આપવાની રહેશે તથા શ્રમયોગીઓના પગારમાંથી કોઈ કપાત કરવાની રહેશે નહીં.
જે શ્રમયગોઓની ગેરહાજરીથી જોખમ ઉભું થવાના સંજોગો-શક્યતા હોય અથવા જે વ્યવસાય અને રોજગાર સાથે સંકળાયેલ હોય તે રોજગારમાં મોટા પ્રમાણમાં નુકશાન થવા સંભવ હોય તેવા કિસ્સામાં અથવા સતત પ્રક્રિયાવાળા કારખાનામાં કામ કરતાં શ્રમયોગીઓ તેમના મત આપવાનો અધિકાર ભોગવી શકે તે માટે તેમની ફરજના સમય દરમ્યાન ત્રણથી ચાર કલાકના સમયગાળાની વારા-ફરતી સવેતન રજા આપવાની રહેશે.
જો કોઈ કારખાનેદાર માલિક કે નોકરીદાતા ઉપરોક્ત જોગવાઈને વિરૂધ્ધનું વર્તન કરશે તો ઉક્ત અધિનિયમની જોગવાઈઓ હેઠળ શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. મતદાનના દિવસે મતદાન કરવા માટેની રજા ન મળે તે કિસ્સામાં જિલ્લાના નોડલ અધિકારીશ્રી – માઈગ્રેટરી ઈલેક્ટર્સનો સંપર્ક સાધવા (૧) ઔધોગિક સંસ્થા માટે – સંયુક્ત નિયામકશ્રી, ઔધોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી, જિલ્લા સેવા સદન – ૨, બી/૬, અઠવાલાઈન્સ, સુરત ફોન. નં (૦૨૬૧) ૨૬૫૩૫૦૨ (૨) દુકાન અને વાણિજ્ય સંસ્થા માટે – મુખ્ય દુકાનધારા નિરીક્ષક (૦૨૬૧) ૨૪૨૩૭૫૧ – ૫૬ એક્સ નં. ૨૩૯, તથા મો. નં. ૯૮૭૯૧૧૪૫૦૨ (૩) લેબર ઓફિસર, નાયબ શ્રમ આયુક્તની કચેરી, એ/6, બહુમાળી મકાન, નાનપુરા, સુરત (૦૨૬૧) – ૨૪૬૩૪૨૫ પર સંપર્ક કરવા નોડલ ઓફિસર – માઈગ્રેટરી ઈલેક્ટર્સ અને નાયબ શ્રમ આયુક્ત સુરતના એમ.સી.કારીયાની યાદીમાં જણાવ્યું છે.

Leave a Comment

The specified slider does not exist.

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

મૈત્રી ફાઉન્ડેશન બિગ બોસ ધમાકા 2025 માં મુસ્કાન ઇલેવન કઢૈયા ફાઇનલ વિજેતા.

મૈત્રી ફાઉન્ડેશન બિગ બોસ ધમાકા 2025 માં મુસ્કાન ઇલેવન કઢૈયા ફાઇનલ વિજેતા. સૂત્રો દ્વારા 8 એપ્રિલના રોજ પ્રાપ્ત થતી વિગત મુજબ મહુવા તાલુકાના નળધરા ગ્રાઉન્ડ

વિશ્વ હોમિયોપેથી દિવસ નિમિતે તા.૧૦મીએ લિંબાયત ખાતે નિઃશુલ્ક મેગા સર્વરોગ હોમિયોપેથી નિદાન અને સારવાર કેમ્પ યોજાશે

વિશ્વ હોમિયોપેથી દિવસ નિમિતે તા.૧૦મીએ લિંબાયત ખાતે નિઃશુલ્ક મેગા સર્વરોગ હોમિયોપેથી નિદાન અને સારવાર કેમ્પ યોજાશે નાગરિકોને હોમિયોપેથીક નિદાન-સારવારનો લાભ લેવા અનુરોધ હોમિયોપેથીના સંસ્થાપક માસ્ટર

કામદારોને તા.૧૭ એપ્રિલ સુધી ઈ-શ્રમ પોર્ટલ પર નોંધણી કરવાની તક

કામદારોને તા.૧૭ એપ્રિલ સુધી ઈ-શ્રમ પોર્ટલ પર નોંધણી કરવાની તક કામદાર તરીકે ઓળખ અને આયુષ્માન ભારત યોજના હેઠળ આરોગ્ય સહાય મળે એ માટે કેન્દ્રીય શ્રમ

રાજ્યમાં સ્ટેમ્પ ડ્યુટી એક્ટના અમલમાં સુગમતા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના મહત્વપૂર્ણ નિર્ણયો

રાજ્યમાં સ્ટેમ્પ ડ્યુટી એક્ટના અમલમાં સુગમતા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના મહત્વપૂર્ણ નિર્ણયો પ્રજાલક્ષી દરોના ઘટાડાથી સામાન્ય નાગરિકોને-મિલકતધારકોને વધુ સરળતા આપવાનો અભિગમ વડીલોપાર્જિત મિલકતના કિસ્સામાં