અયોધ્યા શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા-રામોત્સવના પાવન અવસરે સુરત સિવિલ હોસ્પિટલમાં ‘રર:રર’નો અનોખો સંયોગ

Facebook
Twitter
WhatsApp
Telegram

અયોધ્યા શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા-રામોત્સવના પાવન અવસરે સુરત સિવિલ હોસ્પિટલમાં ‘રર:રર’નો અનોખો સંયોગ
 
તા.૨૧ રાત્રિના ૧૨ વાગ્યાથી બપોરના ૧૨:૩૯ના વિજય મુહૂર્ત સુધીમાં સિવિલ હોસ્પિટલ ખાતે ૧૩ બાળકો અને ૦૯ બાળકીઓ મળી કુલ ૨૨ બાળકોનો જન્મ
 
નર્સિંગ એસો. દ્વારા સ્ત્રી રોગ-બાળ રોગ વિભાગની બહેનોને સાડી-મિઠાઈ વિતરણ કરાર્યું
સમગ્ર જીવનકાળ દરમિયાન રચાતા વિવિધ સંયોગો માનવીને જીવનભરનું સંભારણું આપે છે. એવો જ એક સુ:ખદ સંયોગ સુરતની નવી સિવિલ સિવિલ હોસ્પિટલને આંગણે બન્યો છે. અયોધ્યામાં રામ મંદિરમાં રામ લલાની પ્રાણ પ્રતિષ્ઠા- પ્રાણોત્સવ પ્રસંગે ભવ્યતા, દિવ્યતા અને સૌમ્યતાના સંગમ વચ્ચે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે તા.૨૧ રાત્રિના ૧૨:૦૦ વાગ્યાથી તા.૨૨એ બપોરના ૧૨:૩૯ના વિજય મુહૂર્ત સુધીના સમયમાં ૨૨ પ્રસૂતાઓએ કુલ ૨૨ બાળકોને જન્મ આપતા ૨૨:૨૨નો અનોખો સંયોગ રચાયો હતો. જેમાં ૧૩ બાળકો અને ૦૯ બાળકીઓ જન્મ્યા હતા. તા.૨૨ જાન્યુઆરીના ૨૪ કલાકમાં સિવિલ હોસ્પિટલમાં કુલ ૩૮ પ્રસૂતાઓએ ૩૮ બાળકોને જન્મ આપ્યો હતો. જેમાં ૧૮ બાળકીઓ અને ૨૦ બાળકો જન્મ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના ઐતિહાસિક અવસરે સમગ્ર ભારત રામમય બન્યું હતું. ત્યારે નર્સિંગ કાઉન્સિલના ઈકબાલ કડીવાલા, કિરણભાઈ દોમડિયા, અશ્વિનભાઈ પંડયાની ઉપસ્થિતિમાં પારસભાઈ શાહ (રોઝી ગ્રુપ)ના સહયોગથી નર્સિંગ એસોસિયેશન દ્વારા સિવિલ હોસ્પિટલના સ્ત્રી રોગ વિભાગ, બાળ રોગ વિભાગની માતાઓ તેમજ સિક્યોરિટી મહિલા ગાર્ડને સાડી– મિઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું

Leave a Comment

The specified slider does not exist.

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

મૈત્રી ફાઉન્ડેશન બિગ બોસ ધમાકા 2025 માં મુસ્કાન ઇલેવન કઢૈયા ફાઇનલ વિજેતા.

મૈત્રી ફાઉન્ડેશન બિગ બોસ ધમાકા 2025 માં મુસ્કાન ઇલેવન કઢૈયા ફાઇનલ વિજેતા. સૂત્રો દ્વારા 8 એપ્રિલના રોજ પ્રાપ્ત થતી વિગત મુજબ મહુવા તાલુકાના નળધરા ગ્રાઉન્ડ

વિશ્વ હોમિયોપેથી દિવસ નિમિતે તા.૧૦મીએ લિંબાયત ખાતે નિઃશુલ્ક મેગા સર્વરોગ હોમિયોપેથી નિદાન અને સારવાર કેમ્પ યોજાશે

વિશ્વ હોમિયોપેથી દિવસ નિમિતે તા.૧૦મીએ લિંબાયત ખાતે નિઃશુલ્ક મેગા સર્વરોગ હોમિયોપેથી નિદાન અને સારવાર કેમ્પ યોજાશે નાગરિકોને હોમિયોપેથીક નિદાન-સારવારનો લાભ લેવા અનુરોધ હોમિયોપેથીના સંસ્થાપક માસ્ટર

કામદારોને તા.૧૭ એપ્રિલ સુધી ઈ-શ્રમ પોર્ટલ પર નોંધણી કરવાની તક

કામદારોને તા.૧૭ એપ્રિલ સુધી ઈ-શ્રમ પોર્ટલ પર નોંધણી કરવાની તક કામદાર તરીકે ઓળખ અને આયુષ્માન ભારત યોજના હેઠળ આરોગ્ય સહાય મળે એ માટે કેન્દ્રીય શ્રમ

રાજ્યમાં સ્ટેમ્પ ડ્યુટી એક્ટના અમલમાં સુગમતા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના મહત્વપૂર્ણ નિર્ણયો

રાજ્યમાં સ્ટેમ્પ ડ્યુટી એક્ટના અમલમાં સુગમતા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના મહત્વપૂર્ણ નિર્ણયો પ્રજાલક્ષી દરોના ઘટાડાથી સામાન્ય નાગરિકોને-મિલકતધારકોને વધુ સરળતા આપવાનો અભિગમ વડીલોપાર્જિત મિલકતના કિસ્સામાં