સ્વામિનારાયણ ગુરૂકુલ, વેડ- સુરત ખાતે વિદ્યાર્થી વિજ્ઞાન મંથન ટેલેન્ટ હન્ટ એક્ઝામ યોજાઈ

Facebook
Twitter
WhatsApp
Telegram

સ્વામિનારાયણ ગુરૂકુલ, વેડ- સુરત ખાતે વિદ્યાર્થી વિજ્ઞાન મંથન ટેલેન્ટ હન્ટ એક્ઝામ યોજાઈ

૧૩૧ હોનહાર બાળ વૈજ્ઞાનિકોમાંથી પાસ થઈ વિજેતા બનનાર ૧૮ વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે
શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ વિદ્યાલય, સુરત ખાતે વિદ્યાર્થી વિજ્ઞાન મંથન ટેલેન્ટ હન્ટ એક્ઝામ યોજાઈ હતી. જેમાં ૧૩૧ વિદ્યાર્થીઓએ લેખિત અને પ્રેક્ટિકલ પરીક્ષા આપી હતી. વિજ્ઞાન ભારતી અને વિજ્ઞાન ગુર્જરી સંસ્થાઓના ઉપક્રમે દેશભરમાં બાળ વૈજ્ઞાનિકો શોધવાના આશયથી આયોજિત વિદ્યાર્થી વિજ્ઞાન મંથન ટેલેન્ટ હન્ટમાં દેશના ૧.૭૫ લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાં ગુજરાતના ૫૦૦૦ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. જે પૈકી પાસ આઉટ થયેલા અને વિજેતા બનેલા ૧૩૧ બાળ વૈજ્ઞાનિકોએ સુરતના વેડ રોડ સ્થિત સ્વામિનારાયણ ગુરુકુલમાં આયોજિત VVM ટેલેન્ટ હન્ટમાં ભાગ લીધો હતો. આ પરીક્ષામાં પાસ થઈ વિજેતા બનનાર ૧૮ વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે.

આ પ્રસંગે નવયુગ કોલેજના આચાર્ય શ્રી ડો. અશ્વિનભાઈ પટેલે પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું કે, જેમ જ્ઞાન વ્યક્તિને પોતાનો હક અપાવે છે તેવી જ રીતે વિજ્ઞાન કોઈ પણ દેશના સર્વાંગી વિકાસનું માધ્યમ બને છે. વિજ્ઞાન એટલે વિશિષ્ટ જ્ઞાન. શૂન્યની શોધ ભારતમાં થઈ હતી. નાલંદા, તક્ષશીલા મહાવિદ્યાપીઠ એ સમયે વિશ્વના શિક્ષણફલક પર બિરાજતી હતી.

પૂ. ધર્મવલ્લભદાસજી સ્વામીએ વિદ્યાર્થીઓને જીવનમાં વિજ્ઞાન પ્રત્યે રસ કેળવવાની શીખ આપતા કહ્યું કે, જ્ઞાન, વિજ્ઞાન અને અધ્યાત્મનો સમન્વય થાય તો દેશ પ્રગતિના માર્ગે આગળ વધી શકે છે. વિજ્ઞાન ભૌતિક જીવનને ગુણવત્તાસભર બનાવે છે, જ્યારે આધ્યાત્મિકતા આંતરિક જીવનને નિખારે છે અને સંસ્કારિતાનું સિંચન કરે છે એમ જણાવી તેમણે જ્ઞાન વિજ્ઞાનમાં કાબેલિયત મેળવી ઉજ્જવળ કારકિર્દી ઘડવાની સૌ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

ગુજરાત સ્ટેટ કોર્ડીનેટરશ્રી પંકજભાઈ દરજીએ VVM કાર્યક્રમ સંચાર અંતર્ગત વિગતો આપી હતી. VVMના ગુજરાત સ્ટેટ કોર્ડીનેટર શ્રી મનસુખભાઈ નારીયા તેમજ શાળાના આચાર્ય શ્રી અરવિંદભાઈ ઠેસિયાએ વિદ્યાર્થી વિજ્ઞાન મંથન કાર્યક્રમની રૂપરેખા આપી હતી.

આ પ્રસંગે શાસ્ત્રી શ્રી દેવપ્રકાશદાસજી સ્વામી, આચાર્યશ્રી ધર્મેશભાઈ સલીયા, પ્રાદેશિક માહિતી કચેરી, સુરતના સહાયક માહિતી નિયામકશ્રી મહેન્દ્ર વેકરિયા સહિત બાળ વૈજ્ઞાનિક વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

૧૩૧ હોનહાર બાળ વૈજ્ઞાનિકોમાંથી પાસ થઈ વિજેતા બનનાર ૧૮ વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે
શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ વિદ્યાલય, સુરત ખાતે વિદ્યાર્થી વિજ્ઞાન મંથન ટેલેન્ટ હન્ટ એક્ઝામ યોજાઈ હતી. જેમાં ૧૩૧ વિદ્યાર્થીઓએ લેખિત અને પ્રેક્ટિકલ પરીક્ષા આપી હતી. વિજ્ઞાન ભારતી અને વિજ્ઞાન ગુર્જરી સંસ્થાઓના ઉપક્રમે દેશભરમાં બાળ વૈજ્ઞાનિકો શોધવાના આશયથી આયોજિત વિદ્યાર્થી વિજ્ઞાન મંથન ટેલેન્ટ હન્ટમાં દેશના ૧.૭૫ લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાં ગુજરાતના ૫૦૦૦ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. જે પૈકી પાસ આઉટ થયેલા અને વિજેતા બનેલા ૧૩૧ બાળ વૈજ્ઞાનિકોએ સુરતના વેડ રોડ સ્થિત સ્વામિનારાયણ ગુરુકુલમાં આયોજિત VVM ટેલેન્ટ હન્ટમાં ભાગ લીધો હતો. આ પરીક્ષામાં પાસ થઈ વિજેતા બનનાર ૧૮ વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે.

આ પ્રસંગે નવયુગ કોલેજના આચાર્ય શ્રી ડો. અશ્વિનભાઈ પટેલે પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું કે, જેમ જ્ઞાન વ્યક્તિને પોતાનો હક અપાવે છે તેવી જ રીતે વિજ્ઞાન કોઈ પણ દેશના સર્વાંગી વિકાસનું માધ્યમ બને છે. વિજ્ઞાન એટલે વિશિષ્ટ જ્ઞાન. શૂન્યની શોધ ભારતમાં થઈ હતી. નાલંદા, તક્ષશીલા મહાવિદ્યાપીઠ એ સમયે વિશ્વના શિક્ષણફલક પર બિરાજતી હતી.

પૂ. ધર્મવલ્લભદાસજી સ્વામીએ વિદ્યાર્થીઓને જીવનમાં વિજ્ઞાન પ્રત્યે રસ કેળવવાની શીખ આપતા કહ્યું કે, જ્ઞાન, વિજ્ઞાન અને અધ્યાત્મનો સમન્વય થાય તો દેશ પ્રગતિના માર્ગે આગળ વધી શકે છે. વિજ્ઞાન ભૌતિક જીવનને ગુણવત્તાસભર બનાવે છે, જ્યારે આધ્યાત્મિકતા આંતરિક જીવનને નિખારે છે અને સંસ્કારિતાનું સિંચન કરે છે એમ જણાવી તેમણે જ્ઞાન વિજ્ઞાનમાં કાબેલિયત મેળવી ઉજ્જવળ કારકિર્દી ઘડવાની સૌ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

ગુજરાત સ્ટેટ કોર્ડીનેટરશ્રી પંકજભાઈ દરજીએ VVM કાર્યક્રમ સંચાર અંતર્ગત વિગતો આપી હતી. VVMના ગુજરાત સ્ટેટ કોર્ડીનેટર શ્રી મનસુખભાઈ નારીયા તેમજ શાળાના આચાર્ય શ્રી અરવિંદભાઈ ઠેસિયાએ વિદ્યાર્થી વિજ્ઞાન મંથન કાર્યક્રમની રૂપરેખા આપી હતી.

આ પ્રસંગે શાસ્ત્રી શ્રી દેવપ્રકાશદાસજી સ્વામી, આચાર્યશ્રી ધર્મેશભાઈ સલીયા, પ્રાદેશિક માહિતી કચેરી, સુરતના સહાયક માહિતી નિયામકશ્રી મહેન્દ્ર વેકરિયા સહિત બાળ વૈજ્ઞાનિક વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Comment

The specified slider does not exist.

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

મૈત્રી ફાઉન્ડેશન બિગ બોસ ધમાકા 2025 માં મુસ્કાન ઇલેવન કઢૈયા ફાઇનલ વિજેતા.

મૈત્રી ફાઉન્ડેશન બિગ બોસ ધમાકા 2025 માં મુસ્કાન ઇલેવન કઢૈયા ફાઇનલ વિજેતા. સૂત્રો દ્વારા 8 એપ્રિલના રોજ પ્રાપ્ત થતી વિગત મુજબ મહુવા તાલુકાના નળધરા ગ્રાઉન્ડ

વિશ્વ હોમિયોપેથી દિવસ નિમિતે તા.૧૦મીએ લિંબાયત ખાતે નિઃશુલ્ક મેગા સર્વરોગ હોમિયોપેથી નિદાન અને સારવાર કેમ્પ યોજાશે

વિશ્વ હોમિયોપેથી દિવસ નિમિતે તા.૧૦મીએ લિંબાયત ખાતે નિઃશુલ્ક મેગા સર્વરોગ હોમિયોપેથી નિદાન અને સારવાર કેમ્પ યોજાશે નાગરિકોને હોમિયોપેથીક નિદાન-સારવારનો લાભ લેવા અનુરોધ હોમિયોપેથીના સંસ્થાપક માસ્ટર

કામદારોને તા.૧૭ એપ્રિલ સુધી ઈ-શ્રમ પોર્ટલ પર નોંધણી કરવાની તક

કામદારોને તા.૧૭ એપ્રિલ સુધી ઈ-શ્રમ પોર્ટલ પર નોંધણી કરવાની તક કામદાર તરીકે ઓળખ અને આયુષ્માન ભારત યોજના હેઠળ આરોગ્ય સહાય મળે એ માટે કેન્દ્રીય શ્રમ

રાજ્યમાં સ્ટેમ્પ ડ્યુટી એક્ટના અમલમાં સુગમતા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના મહત્વપૂર્ણ નિર્ણયો

રાજ્યમાં સ્ટેમ્પ ડ્યુટી એક્ટના અમલમાં સુગમતા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના મહત્વપૂર્ણ નિર્ણયો પ્રજાલક્ષી દરોના ઘટાડાથી સામાન્ય નાગરિકોને-મિલકતધારકોને વધુ સરળતા આપવાનો અભિગમ વડીલોપાર્જિત મિલકતના કિસ્સામાં