પાંડેસરા ખાતે ડાયાબિટીસમુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત ૧૫ દિવસની યોગ શિબિર યોજાઈ

Facebook
Twitter
WhatsApp
Telegram

પાંડેસરા ખાતે ડાયાબિટીસમુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત ૧૫ દિવસની યોગ શિબિર યોજાઈ
 
શિબિરમાં ભાગ લેનારા ૨૦૦થી વધુ ડાયાબિટીસના દર્દીઓના સુગર લેવલમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ‘ડાયાબિટીસમુક્ત ગુજરાત’ અભિયાન હેઠળ ડાયાબિટીસ પીડિતો માટે પાંડેસરા ખાતે ૧૫ દિવસની યોગ શિબિર યોજાઈ હતી. ગત ૧૪મી નવે.થી શરૂ થયેલી આ શિબિરનો ઉદ્દેશ ડાયાબિટીસથી પીડિત દર્દીઓને યોગ, પ્રાકૃતિક ઉપચાર અને તંદુરસ્ત જીવનશૈલીના માધ્યમથી રોગમુક્ત બનાવવાનો હતો.
યોગ શિબિર દરમિયાન દરરોજ વહેલી સવારે ૬.૦૦ થી ૮.૦૦ દરમિયાન નિષ્ણાત યોગગુરૂઓ દ્વારા યોગાસન, પ્રાણાયામ અને ધ્યાન સત્રો યોજાયા હતા. દરેક દર્દીને તબીબી નિદાન દ્વારા તેમના અનુકૂળ યોગ અભ્યાસના કાર્યક્રમમાં સામેલ કરાયા. આ ઉપરાંત, જીવનશૈલીમાં જરૂરી પરિવર્તનો અને આરોગ્યલક્ષી આહાર વિશે માર્ગદર્શન પણ અપાયું હતું. શિબિરમાં ભાગ લેનારા ૨૦૦થી વધુ દર્દીઓના સુગર લેવલમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. તંદુરસ્ત જીવનશૈલી અપનાવવાના કારણે દર્દીઓએ વધુ ઊંઘની ગુણવત્તા, શારિરીક ઉત્સાહ અને માનસિક શાંતિ અનુભવી હતી. કાયમી આરોગ્યલક્ષી પરિવર્તન માટે દર્દીઓએ યોગને રોજિંદી જીવનશૈલીમાં સામેલ કરવાનો નિશ્ચય કર્યો. ડાયાબિટીસ મુક્ત ગુજરાતના ઉમદા મિશન તરફ આ શિબિર એક મહત્વનું પગથિયું સાબિત થઈ છે. લોકોમાં યોગ અને પ્રાકૃતિક ચિકિત્સા પ્રત્યે જાગૃતતા લાવવા માટે યોગ બોર્ડના આ પ્રયાસે પ્રેરણાનું કામ કર્યું છે.
આ સત્રના પરિણામોથી પ્રેરાઈને દર્દીઓએ આવી વધુ શિબિરો આયોજિત કરવા યોગ બોર્ડને વિનંતી કરી છે. શિબિરના આયોજન અને સફળ અમલ માટે યોગ બોર્ડના કોચ, ટ્રેનરો અને સાધકોની ટીમે ઉત્તમ કામગીરી કરી હતી.
આ યોગ શિબિરના સમાપન સમારંભમાં ડો. પલક ત્રિવેદી, કોર્પોરેટર ડો.બળવંતભાઈ પટેલ, મનપાના હેલ્થ કોર્ડિનેટર ડૉ. પારુલ પટેલ, સમાજસેવક વાલજીભાઈ, SMC હેલ્થ ઓફિસર ડો. કિંજલ પટેલ, ડો. કૃષ્ણા અને વિનોદભાઈ સહિતના મહાનુભાવો અને યોગપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Comment

The specified slider does not exist.

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

મૈત્રી ફાઉન્ડેશન બિગ બોસ ધમાકા 2025 માં મુસ્કાન ઇલેવન કઢૈયા ફાઇનલ વિજેતા.

મૈત્રી ફાઉન્ડેશન બિગ બોસ ધમાકા 2025 માં મુસ્કાન ઇલેવન કઢૈયા ફાઇનલ વિજેતા. સૂત્રો દ્વારા 8 એપ્રિલના રોજ પ્રાપ્ત થતી વિગત મુજબ મહુવા તાલુકાના નળધરા ગ્રાઉન્ડ

વિશ્વ હોમિયોપેથી દિવસ નિમિતે તા.૧૦મીએ લિંબાયત ખાતે નિઃશુલ્ક મેગા સર્વરોગ હોમિયોપેથી નિદાન અને સારવાર કેમ્પ યોજાશે

વિશ્વ હોમિયોપેથી દિવસ નિમિતે તા.૧૦મીએ લિંબાયત ખાતે નિઃશુલ્ક મેગા સર્વરોગ હોમિયોપેથી નિદાન અને સારવાર કેમ્પ યોજાશે નાગરિકોને હોમિયોપેથીક નિદાન-સારવારનો લાભ લેવા અનુરોધ હોમિયોપેથીના સંસ્થાપક માસ્ટર

કામદારોને તા.૧૭ એપ્રિલ સુધી ઈ-શ્રમ પોર્ટલ પર નોંધણી કરવાની તક

કામદારોને તા.૧૭ એપ્રિલ સુધી ઈ-શ્રમ પોર્ટલ પર નોંધણી કરવાની તક કામદાર તરીકે ઓળખ અને આયુષ્માન ભારત યોજના હેઠળ આરોગ્ય સહાય મળે એ માટે કેન્દ્રીય શ્રમ

રાજ્યમાં સ્ટેમ્પ ડ્યુટી એક્ટના અમલમાં સુગમતા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના મહત્વપૂર્ણ નિર્ણયો

રાજ્યમાં સ્ટેમ્પ ડ્યુટી એક્ટના અમલમાં સુગમતા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના મહત્વપૂર્ણ નિર્ણયો પ્રજાલક્ષી દરોના ઘટાડાથી સામાન્ય નાગરિકોને-મિલકતધારકોને વધુ સરળતા આપવાનો અભિગમ વડીલોપાર્જિત મિલકતના કિસ્સામાં