રાઈના પાકમાં સંકલિત રોગ-જીવાત વ્યવસ્થાપન માટે ખેડુતોએ વાવણી પહેલા અને વાવણી સમયે પગલા લેવા અનુરોધ

Facebook
Twitter
WhatsApp
Telegram

રાઈના પાકમાં સંકલિત રોગ-જીવાત વ્યવસ્થાપન માટે ખેડુતોએ વાવણી પહેલા અને વાવણી સમયે પગલા લેવા અનુરોધ

રાઈના પાકમાં રોગ-જીવાત નિયંત્રણ માટે સરદાર કૃષિનગર દાંતીવાડા અને આણંદ કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા ખેડુતોને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. જેમાં રાઈના પાકમાં તળછારો રોગને અટકાવવા માટે બે થી ત્રણ વર્ષ માટે પાકની ફેરબદલી કરવી જોઈએ. સાથે જ રોગિષ્ટ અવશેષોનો નાશ કરવો, રોગમુક્ત પ્રમાણિત બિયારણની પસંદગી કરવી જોઈએ. જીએમ ૭(બનાસ અનમોલ), ગુજરાત આણંદ રાઇ -૮ (આણંદ હેમા) જેવી ભૂકી છારો રોગપ્રતિકારક નવીન જાતો વાવેતર કરવાની ભલામણ કરી છે.
બિયારણને વાવતા પહેલાં ફૂગનાશક દવા થાયરમ અથવા કેપ્ટાન (૩ ગ્રામ પ્રતિ ૧ કિ.ગ્રા. બીજ) અથવા એપ્રોન (મેટાલેક્ષીલ) ૩૫ એસ ડી નો ૬ ગ્રામ/ કિ.ગ્રા. બીજ દીઠ પટ આપવો. ભલામણ મુજબ નાઇટ્રોજનયુક્ત ખાતર અને પિયત આપવાનો આગ્રહ રાખવા જોઈએ. વધુમાં દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલા લેબલ મુજબ જે તે પાક માટે તે ભલામણમાં જણાવ્યા મુજબની કાળજીઓ રાખવા જણાવાયું છે.
આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ, ખેતી અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) તેમજ નાયબ ખેતી નિયામક(તાલીમ)નો સંપર્ક સાધવા સુરત જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે

Leave a Comment

The specified slider does not exist.

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

મૈત્રી ફાઉન્ડેશન બિગ બોસ ધમાકા 2025 માં મુસ્કાન ઇલેવન કઢૈયા ફાઇનલ વિજેતા.

મૈત્રી ફાઉન્ડેશન બિગ બોસ ધમાકા 2025 માં મુસ્કાન ઇલેવન કઢૈયા ફાઇનલ વિજેતા. સૂત્રો દ્વારા 8 એપ્રિલના રોજ પ્રાપ્ત થતી વિગત મુજબ મહુવા તાલુકાના નળધરા ગ્રાઉન્ડ

વિશ્વ હોમિયોપેથી દિવસ નિમિતે તા.૧૦મીએ લિંબાયત ખાતે નિઃશુલ્ક મેગા સર્વરોગ હોમિયોપેથી નિદાન અને સારવાર કેમ્પ યોજાશે

વિશ્વ હોમિયોપેથી દિવસ નિમિતે તા.૧૦મીએ લિંબાયત ખાતે નિઃશુલ્ક મેગા સર્વરોગ હોમિયોપેથી નિદાન અને સારવાર કેમ્પ યોજાશે નાગરિકોને હોમિયોપેથીક નિદાન-સારવારનો લાભ લેવા અનુરોધ હોમિયોપેથીના સંસ્થાપક માસ્ટર

કામદારોને તા.૧૭ એપ્રિલ સુધી ઈ-શ્રમ પોર્ટલ પર નોંધણી કરવાની તક

કામદારોને તા.૧૭ એપ્રિલ સુધી ઈ-શ્રમ પોર્ટલ પર નોંધણી કરવાની તક કામદાર તરીકે ઓળખ અને આયુષ્માન ભારત યોજના હેઠળ આરોગ્ય સહાય મળે એ માટે કેન્દ્રીય શ્રમ

રાજ્યમાં સ્ટેમ્પ ડ્યુટી એક્ટના અમલમાં સુગમતા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના મહત્વપૂર્ણ નિર્ણયો

રાજ્યમાં સ્ટેમ્પ ડ્યુટી એક્ટના અમલમાં સુગમતા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના મહત્વપૂર્ણ નિર્ણયો પ્રજાલક્ષી દરોના ઘટાડાથી સામાન્ય નાગરિકોને-મિલકતધારકોને વધુ સરળતા આપવાનો અભિગમ વડીલોપાર્જિત મિલકતના કિસ્સામાં