બારડોલી ખાતેથી ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારની આગેવાનીમાં તિરંગા યાત્રા યોજાઈ.

Facebook
Twitter
WhatsApp
Telegram

હર ઘર તિરંગા અભિયાન : સુરત જિલ્લો
 
બારડોલી નગર દેશભક્તિનાં રંગે રંગાયુ

બારડોલી ખાતેથી ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારની આગેવાનીમાં તિરંગા યાત્રા યોજાઈ.
 
“પોલીસ જવાનોની એકતા અને અનુસાશનના અનોખા અંદાજને નિહાળી નગરવાસીઓ મંત્રમુગ્ધ થયા
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ જનજન સુધી રાષ્ટ્રપ્રેમથી ભાવના જાગૃત થાય તેવા આશયથી “હર ઘર તિરંગા”નું રાષ્ટ્રવ્યાપી અભિયાન ચાલી રહ્યું છે. જેના ભાગરૂપે આજરોજ બારડોલી ખાતેથી ધારાસભ્યશ્રી ઈશ્વરભાઈ પરમાર તથા સ્વરાજ આશ્રમના નિરંજનાબેન કલાર્થીની આગેવાનીમાં તિંરગા યાત્રા સરદાર ચોક થી સ્વરાજ આશ્રમ સુધી યોજાઈ હતી.
આ અવસરે ધારાસભ્યશ્રીએ સૌને ઘરે તિરંગો લહેરાવવાની અપીલ કરી હતી.
આ તિરંગા યાત્રામાં ‘વંદે માતરમ’, ‘ભારત માતા કી જય’ના નારાઓ સાથે બારડોલી નગર દેશભકિતના રંગે રંગાયું હતું. યાત્રામાં પોલીસ જવાનો, અધિકારીઓ, પદાધિકારીઓ, મહાપુરૂષોના પહેરવેશમાં વિદ્યાર્થીઓએ જોડાઈને નગરવાસીઓને દેશભક્તિનો એક અનોખા અંદાજથી પરિચિત કરાવ્યાં હતાં. ખાખીની શાન અને તિરંગાના સન્માન જાળવવા સાથે આ ભવ્ય તિરંગા યાત્રાએ અનેરુ આકર્ષણ જમાવ્યું હતું.
આ યાત્રામાં નગરપાલિકાના પ્રમુખ, પ્રાંત અધિકારીશ્રીમતી જિજ્ઞાબેન પરમાર, મામલતદારશ્રી દિનેશભાઈ, ચીફ ઓફિસરશ્રી મિલીન પલસાણા, વિદ્યાર્થીઓ, નગરજનો મોટી સંખ્યામાં જોડાઈને તિરંગાયાત્રાને સફળ બનાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

The specified slider does not exist.

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

રાજ્યના ખેડૂતોના હિતમાં ખેતી વિષયક વીજ જોડાણના નિયમોમાં રાજ્ય સરકારે કર્યા ઐતિહાસિક ફેરફાર

રાજ્યના ખેડૂતોના હિતમાં ખેતી વિષયક વીજ જોડાણના નિયમોમાં રાજ્ય સરકારે કર્યા ઐતિહાસિક ફેરફાર ૭-૧૨ના ઉતારામાં એક કરતા વધારે સહમાલીક હોય તો વીજ જોડાણ મેળવવા માટે

માનવ કલ્યાણ યોજના અંતર્ગત ૧૦ જેટલા વ્યવસાય કરવા માટે વિનામૂલ્યે સાધન સહાય કિટ્સ માટે અરજી કરવા અનુરોધઃ

માનવ કલ્યાણ યોજના અંતર્ગત ૧૦ જેટલા વ્યવસાય કરવા માટે વિનામૂલ્યે સાધન સહાય કિટ્સ માટે અરજી કરવા અનુરોધઃ અરજદારે https://e-kutir.gujarat.gov.in પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવા અનુરોધઃ

અડાજણ પોલીસે માતા-પિતાથી વિખૂટી પડેલી ચાર વર્ષની બાળકીનું માતાપિતા સાથે પુનઃમિલન કરાવ્યું

અડાજણ પોલીસે માતા-પિતાથી વિખૂટી પડેલી ચાર વર્ષની બાળકીનું માતાપિતા સાથે પુનઃમિલન કરાવ્યું પ્રયાગરાજથી સુરત ફરવા આવેલા દિવાકર પરિવારની ચાર વર્ષની બાળકી રમતા-રમતા ઘર પાસેથી ગુમ

તા.૪થી મેના રોજ ડી.આર.બી. કોલેજ, ભરથાણા ખાતે યોગ પ્રશિક્ષણ શિબિર યોજાશેઃ

તા.૪થી મેના રોજ ડી.આર.બી. કોલેજ, ભરથાણા ખાતે યોગ પ્રશિક્ષણ શિબિર યોજાશેઃ રમતગમત રાજયમંત્રી હર્ષ સંધવી તથા યોગબોર્ડના ચેરમેન ઉપસ્થિત રહેશેઃ સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત

error: Content is protected !!