કામરેજની રામકબીર શાળાના ”સાયબર ક્રાઇમ“ જાગૃતિ અભિયાનના વિજેતાઓને શિક્ષણ રાજયમંત્રીના હસ્તે સન્માનિત કરાયા.

Facebook
Twitter
WhatsApp
Telegram

કામરેજની રામકબીર શાળાના ”સાયબર ક્રાઇમ“ જાગૃતિ અભિયાનના વિજેતાઓને શિક્ષણ રાજયમંત્રીના હસ્તે સન્માનિત કરાયા.
સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ તથા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી દ્વારા “THINK BEFORE YOU CLICK” વિષય અંતર્ગત એક અનોખું જાગૃતિ અભિયાન આયોજિત કરવામાં આવ્યું છે. આ અભિયાનમાં કામરેજની શ્રી ભારતીય વિદ્યામંડળ સંચાલિત રામકબીર શાળાના શિક્ષક શ્રી દિલીપભાઇ સુરતી અને શાળાની વિદ્યાર્થીનીઓની ટીમે વિવિધ સ્પર્ધાઓમાં વિજય મેળવ્યો છે. શિક્ષક શ્રી દિલીપભાઇ સુરતી એ એકપાત્ર અભિનય સ્પર્ધામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે જ્યારે શાળાની વિદ્યાર્થીનીઓએ નાટક સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવ્યો હતો. આ સફળતા માટે શિક્ષણમંત્રી શ્રી પ્રફુલ્લભાઇ પાનસુરીયાના હસ્તે રોકડ પુરસ્કાર અને પ્રશસ્તિ પત્ર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ ઉકા તરસાડીયા યુનિ.ખાતે આયોજીત કાર્યક્રમમાં સુરત પોલીસ અધિક્ષક હિતેષભાઇ જોયસર, ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઇ પરમાર, મોહનભાઇ ઢોડિયા, જિલ્લા શિક્ષણાધિકારી ભગીરથસિંહ પરમાર, અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત, ધોરણ-૧૨ આર્ટસના વિદ્યાર્થી નકુમ ઈશાન લાખાભાઇએ યુવા ઉત્સવમાં રાજ્ય કક્ષાએ લોકગીત સ્પર્ધામાં રાજકોટમાં પ્રતિનિધિત્વ કર્યું હતું.
આ મહાન સફળતા બદલ શાળાના પ્રમુખ શ્રી અરવિંદભાઇ ભક્ત, માનદ મંત્રી શ્રી પરેશભાઇ ભક્ત, ખજાનચી શ્રી જિજ્ઞેશભાઇ ભક્ત, આચાર્ય શ્રી શૈલેષભાઇ દેસાઈ, તેમજ અન્ય શાળા પરિવારના સભ્યો દ્વારા અભિનંદન પાઠવીને શાળાના શ્રેષ્ઠ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

The specified slider does not exist.

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

રાજ્યના ખેડૂતોના હિતમાં ખેતી વિષયક વીજ જોડાણના નિયમોમાં રાજ્ય સરકારે કર્યા ઐતિહાસિક ફેરફાર

રાજ્યના ખેડૂતોના હિતમાં ખેતી વિષયક વીજ જોડાણના નિયમોમાં રાજ્ય સરકારે કર્યા ઐતિહાસિક ફેરફાર ૭-૧૨ના ઉતારામાં એક કરતા વધારે સહમાલીક હોય તો વીજ જોડાણ મેળવવા માટે

માનવ કલ્યાણ યોજના અંતર્ગત ૧૦ જેટલા વ્યવસાય કરવા માટે વિનામૂલ્યે સાધન સહાય કિટ્સ માટે અરજી કરવા અનુરોધઃ

માનવ કલ્યાણ યોજના અંતર્ગત ૧૦ જેટલા વ્યવસાય કરવા માટે વિનામૂલ્યે સાધન સહાય કિટ્સ માટે અરજી કરવા અનુરોધઃ અરજદારે https://e-kutir.gujarat.gov.in પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવા અનુરોધઃ

અડાજણ પોલીસે માતા-પિતાથી વિખૂટી પડેલી ચાર વર્ષની બાળકીનું માતાપિતા સાથે પુનઃમિલન કરાવ્યું

અડાજણ પોલીસે માતા-પિતાથી વિખૂટી પડેલી ચાર વર્ષની બાળકીનું માતાપિતા સાથે પુનઃમિલન કરાવ્યું પ્રયાગરાજથી સુરત ફરવા આવેલા દિવાકર પરિવારની ચાર વર્ષની બાળકી રમતા-રમતા ઘર પાસેથી ગુમ

તા.૪થી મેના રોજ ડી.આર.બી. કોલેજ, ભરથાણા ખાતે યોગ પ્રશિક્ષણ શિબિર યોજાશેઃ

તા.૪થી મેના રોજ ડી.આર.બી. કોલેજ, ભરથાણા ખાતે યોગ પ્રશિક્ષણ શિબિર યોજાશેઃ રમતગમત રાજયમંત્રી હર્ષ સંધવી તથા યોગબોર્ડના ચેરમેન ઉપસ્થિત રહેશેઃ સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત

error: Content is protected !!