રૂા.૪૭.૪૦ કરોડના ખર્ચે નવનિર્મિત સુરત જિલ્લા પંચાયત ભવનનું તા.૩૧મીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પણ થશે

Facebook
Twitter
WhatsApp
Telegram

વેસુ (પીપલોદ) ખાતે અત્યાધુનિક પાંચ માળનું પંચાયત ભવન સાકાર

નવા ઈકો ફ્રેન્ડલી ભવનમાં સોલાર રૂફટોપ, વરસાદી પાણીના સંગ્રહ અને યોગ્ય ઉપયોગ માટે રેઈનવોટર હાર્વેસ્ટીંગની સુવિધા

પંચાયત ભવનનો કોર્પોરેટ લૂક અન્ય સરકારી બિલ્ડીંગોથી અલગ તરી આવે છે

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તા.૩૧/૦૮/૨૦૨૩ના રોજ બપોરે ૩.૦૦ વાગ્યે બિગબજારની પાછળ, સુરત-ડુમસ રોડ, પીપલોદ(વેસુ) ખાતે રૂા.૪૭.૪૦ કરોડના ખર્ચે સુરત જિલ્લા પંચાયતના નવનિર્મિત ભવનનું લોકાર્પણ કરશે. ત્યારબાદ ૩.૩૦ વાગ્યે કન્વેન્શન સેન્ટર, સરસાણા ખાતે લોકાર્પણ સમારોહ યોજાશે.
આ વેળાએ કેન્દ્રીય રેલવે અને ટેક્સ્ટાઈલ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, નાણા, ઊર્જા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, પંચાયત, કૃષિ રાજયમંત્રીશ્રી બચુભાઈ ખાબડ, સાંસદશ્રી સી.આર.પાટીલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભાવેશભાઈ પટેલ, સાંસદશ્રી પ્રભુભાઈ વસાવા, ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી, વન અને પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલ, શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રકુલભાઈ પાનશેરીયા, આદિજાતિ રાજ્યમંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી બી.કે.વસાવા સહિત ધારાસભ્યો, પદાધિકારી-અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહેશે.

જિલ્લા પંચાયતની તમામ શાખાઓ નવા ભવનમાં થશે સ્થળાંતરિત

સુરત જિલ્લા પંચાયત કચેરી ચોકબજાર, દરિયા મહેલ સ્થિત ૮૦ વર્ષ જૂના બિલ્ડીંગમાં કાર્યરત છે. આ જૂની બિલ્ડીંગનું તા.૫/૧૧/૧૯૩૪ના રોજ બાંધકામ થયું હતું. સુરત શહેર-જિલ્લાના વિકાસ અને વસ્તીમાં વધારો, અધિકારી-કર્મચારી, પદાધિકારી અને વિવિધ શાખાની સંખ્યામાં વધારો થતા ઓછી જગ્યાના કારણે મુશ્કેલી અનુભવાતી હતી. આ ઉપરાંત, પાર્કિગ સહિતની અગવડતાને ધ્યાને લઈ નવા ભવન માટે રાજયના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ વિભાગે નવા બિલ્ડીંગના બાંધકામ માટે રૂા.૨૯.૪૦ કરોડ ફાળવ્યા હતા, જ્યારે સુરત જિલ્લા પંચાયતના સ્વભંડોળમાંથી રૂ.૧૮ કરોડની ફાળવણી સાથે કુલ રૂ.૪૭.૪૦ કરોડના ખર્ચે આ નવું મકાન ખૂબ ટૂંકા ગાળામાં ઝડપભેર સાકાર થયું છે, જેનું કન્સ્ટ્રકશન વર્ક તા.૧૮-૦૧-૨૦૨૨ ના રોજ શરૂ કરાયું હતું. આ મકાનથી પદાધિકારી-અધિકારીઓ, કર્મચારીઓ અને પોતાના કામ અર્થે આવતા અરજદારોની સુવિધાઓમાં વધારો થશે.

નવું ભવન બન્યું છે ઈકો ફ્રેન્ડલી: ગ્રાઉન્ડ ફ્લોરમાં બે માળવાળું ૨૦૦ કારો અને ૬૦૦ બાઈક પાર્ક થઈ શકે તેવું મલ્ટીલેયર પાર્કિંગ

આ પંચાયત ભવનનો કોર્પોરેટ લૂક અન્ય સરકારી બિલ્ડીંગોથી અલગ તરી આવે છે. વેસુ મેઈન રોડ, ખાતે લાન્સર્સ આર્મી સ્કુલની બાજુમાં, પીપલોદ ખાતે ૧૦,૦૦૦ ચો.મી. જગ્યા ઉપર ગ્રાઉન્ડ+પાંચ માળનું નવું પંચાયત ભવન નિર્માણ પામ્યું છે. જેમાં કુલ ૨૨ પ્રકારની વિવિધ શાખાઓ/કચેરીઓના સમાવેશ સાથે સભાખંડ, મિટીંગ રૂમ, વેઈટીંગ રૂમ, ગ્રાઉન્ડ ફ્લોરમાં બે માળવાળું ૨૦૦ કારો અને ૬૦૦ બાઈક પાર્ક થઈ શકે તેવું મલ્ટીલેયર પાર્કિંગ, લેબોરેટરી, લાઈબ્રેરી, સ્ટ્રોંગરૂમનો સમાવેશ છે. ખાસ કરીને નવું ભવન ઈકો ફ્રેન્ડલી બને તે માટે સોલાર રૂફટોપ, વરસાદી પાણીના સંગ્રહ અને યોગ્ય ઉપયોગ માટે રેઈનવોટર હાર્વેસ્ટીંગ કરવામાં આવશે. બિલ્ડીંગ ભૂકંપપ્રૂફ છે અને આગ જેવી ઘટના ન સર્જાય તે માટે ફાયર સેફટીનો ખાસ ખ્યાલ રખાયો છે. આ ભવનના બાંધકામ બાદ પણ વધુ બાંધકામની ભાવિ જરૂરિયાતને અનુલક્ષીને હજુ ૮૪૦૦ ચો.મી.નો ઓપન એરિયા ઉપલબ્ધ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

The specified slider does not exist.

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

સુરત જિલ્લામાં ‘PM-PVTG ડેવલપમેન્ટ મિશન’ હેઠળ પીએમ જનમન આવાસ યોજના થકી આદિમ જૂથના પરિવારના બની રહેલા આવાસની મુલાકાત લેતા આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ

સુરત જિલ્લામાં ‘PM-PVTG ડેવલપમેન્ટ મિશન’ હેઠળ પીએમ જનમન આવાસ યોજના થકી આદિમ જૂથના પરિવારના બની રહેલા આવાસની મુલાકાત લેતા આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ સુરતના

માંગરોળ તાલુકાના લિંડયાતથી નાણા અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિ.ની છ વીજ કચેરીઓના ભવનોનું લોકાર્પણ

માંગરોળ તાલુકાના લિંડયાતથી નાણા અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિ.ની છ વીજ કચેરીઓના ભવનોનું લોકાર્પણ રૂ.નવ કરોડના ખર્ચે કીમ ઔદ્યોગિક

માંડવી ખાતે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઇ હળપતિના અધ્યક્ષસ્થાને ન્યુ ગુજરાત પેટર્ન યોજના હેઠળ વર્ષ ૨૦૨૫-‘૨૬ માટે તાલુકા આદિજાતિ વિકાસ મંડળ દ્વારા આયોજનની બેઠક યોજાઈ

માંડવી ખાતે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઇ હળપતિના અધ્યક્ષસ્થાને ન્યુ ગુજરાત પેટર્ન યોજના હેઠળ વર્ષ ૨૦૨૫-‘૨૬ માટે તાલુકા આદિજાતિ વિકાસ મંડળ દ્વારા આયોજનની બેઠક યોજાઈ રૂ.૧૭.૬૧

ગુજરાતમાં ગત વર્ષ ૨૦૨૪માં અંદાજે ૧૨.૮૮ લાખથી વધુ દેશ-વિદેશના પ્રવાસીઓ વિવિધ ચાર ‘હેરિટેજ સાઈટ’ની મુલાકાતે

ગુજરાતમાં ગત વર્ષ ૨૦૨૪માં અંદાજે ૧૨.૮૮ લાખથી વધુ દેશ-વિદેશના પ્રવાસીઓ વિવિધ ચાર ‘હેરિટેજ સાઈટ’ની મુલાકાતે ગુજરાતની ચાર હેરિટેજ સાઈટ ચાંપાનેરને વર્ષ ૨૦૦૪માં ગુજરાતની પ્રથમ ‘હેરિટેજ

error: Content is protected !!