મહુવાના એવા કયા સ્વાતંત્ર્ય સેનાની કે જેમને ગાંધીજી પણ પત્ર લખતા

Facebook
Twitter
WhatsApp
Telegram

એક રાતી પાઈ પણ નહીં આપું’ કહી મહેસૂલ વધારા માટે અંગ્રેજો સામે બાંયો ચઢાવનાર હાંસજીભાઈ ધોડિયા
‘મિલકત બચાવવા દંડ નહીં ભરશો, અને દંડ ભરશો તો ગામમાં પગ નહીં મૂકું.’

આઝાદીનું આંદોલન તબક્કાવાર અલગ-અલગ કાર્યક્રમો દ્વારા આગળ વધતું હતું. એ દરમિયાન એમાં કેટલાય લોકોએ અમાનુષી અંગ્રેજ સરકારના સાથ છોડીને એમની સામે જંગનું એલાન કર્યું હતું. મૂળ અલગટ ગામના અને પછીથી લસણપોર સ્થાયી થયેલા એવા આદિવાસીઓ આઝાદી ચળવળના રંગે રંગાયેલા હતા. તેમાંના એક આદિવાસી સ્વતંત્રતાસેનાની હાંસજીભાઈ ઝીણાભાઈ ધોડિયાના પરિવારની કુરબાની પણ ઊડીને આંખે વળગે એવી છે. આ ગામના લોકો પર અંગ્રેજ સરકારનો જૂલમ વધી જતાં હિજરત કરીને જતા રહેતા હતા. પરંતુ ખેતી કરવા તો પાછું આવવું જ પડે તેવું હતું.
ઇ.સ.૧૯૩૨માં વિરોધ થયો. અંગ્રેજો દ્વારા ૨૨ ટકાના મહેસૂલ વધારાની સામે સરદાર પટેલ દ્વારા મહેસૂલ નહીં ભરવાની હાંકલ કરાતાં સુખી-સંપન્ન પરિવારના હાંસજીભાઈએ સરકારના લોકોને રોકડું પરખાવી દીધું હતું કે, ‘એક રાતી પાઈ પણ નહીં આપું.’ આમ તેમણે વિરોધ કરતાની સાથે જ તેમને સાબરમતી જેલમાં પૂરી દેવાયા તેમજ તેમની મિલકતની લીલામીની તૈયારી કરવામાં આવી હતી. ત્યારે પણ જેલમાંથી ખમીરવંતા હાંસજીભાઈએ પરિવારને સંદેશો આપ્યો હતો કે, ‘મિલકત બચાવવા દંડ નહીં ભરશો, અને દંડ ભરશો તો ગામમાં પગ નહીં મૂકું.’
ઇતિહાસની વાત તપાસીએ ત્યારે આપણે સૌએ આપણા વિસ્તારના સ્વતંત્રતાસેનાનીઓની દેશ પ્રત્યેની ખુમારી ઝનૂન માટે આપણે ગર્વ લેવાની વાત છે. તો આપણા વિસ્તારના કેટલાય સ્વતંત્રતાસેનાનીઓએ તમામ કામો પડતાં મૂકી આઝાદીના જંગમાં અંગ્રેજો સામે બાંયો ચઢાવી હતી. જેમ જેમ આઝાદી ચળવળનો ઇતિહાસ તપાસીએ તેમ તેમ ભવ્ય વારસાની પ્રતીતિ જોવા મળશે. એ હાંસજીભાઈ લસણપોર ખાતે આવી ને રહ્યા હતા. હાલ એમનો પરિવાર લસણપોર જ સ્થાયી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

The specified slider does not exist.

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

સુરત જિલ્લામાં ‘PM-PVTG ડેવલપમેન્ટ મિશન’ હેઠળ પીએમ જનમન આવાસ યોજના થકી આદિમ જૂથના પરિવારના બની રહેલા આવાસની મુલાકાત લેતા આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ

સુરત જિલ્લામાં ‘PM-PVTG ડેવલપમેન્ટ મિશન’ હેઠળ પીએમ જનમન આવાસ યોજના થકી આદિમ જૂથના પરિવારના બની રહેલા આવાસની મુલાકાત લેતા આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ સુરતના

માંગરોળ તાલુકાના લિંડયાતથી નાણા અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિ.ની છ વીજ કચેરીઓના ભવનોનું લોકાર્પણ

માંગરોળ તાલુકાના લિંડયાતથી નાણા અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિ.ની છ વીજ કચેરીઓના ભવનોનું લોકાર્પણ રૂ.નવ કરોડના ખર્ચે કીમ ઔદ્યોગિક

માંડવી ખાતે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઇ હળપતિના અધ્યક્ષસ્થાને ન્યુ ગુજરાત પેટર્ન યોજના હેઠળ વર્ષ ૨૦૨૫-‘૨૬ માટે તાલુકા આદિજાતિ વિકાસ મંડળ દ્વારા આયોજનની બેઠક યોજાઈ

માંડવી ખાતે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઇ હળપતિના અધ્યક્ષસ્થાને ન્યુ ગુજરાત પેટર્ન યોજના હેઠળ વર્ષ ૨૦૨૫-‘૨૬ માટે તાલુકા આદિજાતિ વિકાસ મંડળ દ્વારા આયોજનની બેઠક યોજાઈ રૂ.૧૭.૬૧

ગુજરાતમાં ગત વર્ષ ૨૦૨૪માં અંદાજે ૧૨.૮૮ લાખથી વધુ દેશ-વિદેશના પ્રવાસીઓ વિવિધ ચાર ‘હેરિટેજ સાઈટ’ની મુલાકાતે

ગુજરાતમાં ગત વર્ષ ૨૦૨૪માં અંદાજે ૧૨.૮૮ લાખથી વધુ દેશ-વિદેશના પ્રવાસીઓ વિવિધ ચાર ‘હેરિટેજ સાઈટ’ની મુલાકાતે ગુજરાતની ચાર હેરિટેજ સાઈટ ચાંપાનેરને વર્ષ ૨૦૦૪માં ગુજરાતની પ્રથમ ‘હેરિટેજ

error: Content is protected !!