નોકરીઓની સંખ્યા 2023 સુધીમાં જનરેટિવ AI દ્વારા બદલવામાં આવશે

Facebook
Twitter
WhatsApp
Telegram

ChatGPT સહિતની AI કંપનીઓ બજારમાં આવી ત્યારથી ઘણું બધું બદલાયું છે. AI ના કારણે ઘણા લોકોની રોજીરોટી પર તલવાર લટકી રહી છે. AI ઘણા કર્મચારીઓની ચિંતાનું કારણ બન્યું છે. હવે AI ના કારણે 4 સેગમેન્ટમાં લોકોની નોકરી જઈ શકે છે.

વર્તમાન સમયે ટેક કંપનીઓ AIની ક્ષમતાઓને વધારવા માટે સતત પ્રયાસ કરી રહી છે. જેના કારણે નોકરી પ્રત્યેના દૃષ્ટિકોણમાં બદલાવ આવશે. વિચાર અને તર્કની જરૂર હોય તેવા કામ માટે AI મદદ કરી રહ્યા છે. આવા જનરેટિવ AI લોકો માટે સહાયક બને છે. પણ તે નોકરીઓ માટે પણ ગંભીર ખતરો છે.

આ દરમિયાન McKinseyના સંશોધન 2030 સુધીમાં અમેરિકાના લગભગ 12 મિલિયન કર્મચારીઓને નોકરી બદલવી પડી શકે છે!

જનરેટિવ AIના કારણે જોબ માર્કેટ પર ખતરો

હાલમાં ઊંચા પગાર અને કામના યોગ્ય માહોલ માટે કર્મચારીઓ રાજીનામાં આપે છે, નોકરીમાં ફેરફાર કરે છે. જો કે, અભ્યાસના તારણો મુજબ હવે AI ટૂલ્સ અને તકનીકોમાં પ્રગતિને કારણે કર્મચારીઓને તેમની કારકીર્દિમાં જ ફેરફાર કરવો પડી શકે છે. અભ્યાસ મુજબ આગામી સમયમાં લગભગ 11.8 મિલિયન કર્મચારીઓને નોકરી બદલવાની ફરજ પડશે. તેમાંથી લગભગ 9 મિલિયન કર્મચારીઓએ તો સંપૂર્ણપણે નવા ક્ષેત્રમાં રોજગારી શોધવી પડશે.

કોને સૌથી વધી અસર થશે?

મેકિન્સે ગ્લોબલ ઇન્સ્ટિટ્યૂટના પાર્ટનર માઇકલ ચુઇના મત મુજબ ઓફિસ સપોર્ટ, કસ્ટમર સર્વિસ, સેલ્સ, ફૂડ સર્વિસ અને પ્રોડક્શન વર્કને સૌથી વધુ અસર થશે. આ ચાર કેટેગરીમાં રોજગારીના સ્તરમાં અંદાજિત 75 ટકા જેટલો તોતિંગ ઘટાડો થશે.

ઓફિસ સપોર્ટ, કસ્ટમર સર્વિસ, સેલ્સ, ફૂડ સર્વિસ અને પ્રોડક્શન વર્ક જેવી કેટેગરીમાં ક્લાર્ક, રિટેલ સેલ્સ પર્સન, એડમીનીસ્ટ્રેટિવ આસિસ્ટન્ટ અને કેશિયર જેવી રિપિટેટિવ કામની નોકરીઓમાં 2030 સુધીમાં 600,000થી વધુનો ઘટાડો થશે.

AIથી આ સકારાત્મક અસર પણ થશે

માઇકલ ચુઇએ બિઝનેસ ઇનસાઇડરને કહ્યા પ્રમાણે, અમેરિકાની વર્ક ફોર્સ પર આ ફેરફારોની સકારાત્મક અને નકારાત્મક એમ બંને અસર થશે. તેઓનું માનવું છે કે, AIને કારણે નોકરી પર ખતરો ઓછા પગારવાળા કેટલાક કર્મચારીઓને ઉંચા પગારવાળી નોકરી તરફ લઈ જઈ શકે છે. હેલ્થકેર અને ઇ-કોમર્સ જેવા ઉદ્યોગોમાં AI ટેકનોલોજીમાં ઉછાળો જોવા મળશે. પરિણામે રોજગારીની ઘણી નવી તક ઊભી થશે.

First published:

Tags: Career and Jobs, Career News

Source link

Leave a Comment

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજી સાથે પોર્ટુગલ અને સ્લોવેકિયા જનાર પ્રતિનિધિમંડળમાં લોકસભાના દંડક વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલનો સમાવેશ

રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજી સાથે પોર્ટુગલ અને સ્લોવેકિયા જનાર પ્રતિનિધિમંડળમાં લોકસભાના દંડક વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલનો સમાવેશ ભારતના પ્રતિનિધિત્વ માટે અન્ય સાંસદો સાથે સાંસદ ધવલ

બાળમજૂરી નાબુદી અંતર્ગત સુરત જિલ્લા ટાસ્કફોર્સની ટીમે મહુવા તાલુકામાંથી ૨ તરૂણ શ્રમિકોને મુક્ત કરાવ્યા

બાળમજૂરી નાબુદી અંતર્ગત સુરત જિલ્લા ટાસ્કફોર્સની ટીમે મહુવા તાલુકામાંથી ૨ તરૂણ શ્રમિકોને મુક્ત કરાવ્યા બાળમજૂરી નાબૂદી માટે જિલ્લા ટાસ્ક ફોર્સની ટીમે સુરત જિલ્લાના મહુવા તાલુકાની

પરમાર્થ ફાઉન્ડેશનના કોમલ બચકાનીવાલાએ પોતાનો જન્મદિન સેવાભાવના સાથે નવી સિવિલના બાળદર્દીઓ સાથે ઉજવ્યો

પરમાર્થ ફાઉન્ડેશનના કોમલ બચકાનીવાલાએ પોતાનો જન્મદિન સેવાભાવના સાથે નવી સિવિલના બાળદર્દીઓ સાથે ઉજવ્યો રામનવમીના પવિત્ર પર્વે નવી સિવિલ હોસ્પિટલના બાળદર્દીઓને રમકડાં, ચોકલેટ, ફુગ્ગાઓ અને મીઠાઈ

ઓલપાડ ખાતે વન, પાણી પૂરવઠા રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જળ સંચયના કાર્યોની પ્રગતિની સમીક્ષા બેઠક યોજાઈ

ઓલપાડ ખાતે વન, પાણી પૂરવઠા રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જળ સંચયના કાર્યોની પ્રગતિની સમીક્ષા બેઠક યોજાઈ ઓલપાડના દરિયાકાંઠાના ૨૮ ગામોમાં મહત્તમ વોટર રિચાર્જ સ્ટ્રકચર બનાવાશે: