ધો. ૧૦ એસ.એસ.સી.માં સુરતનું ૮૬.૨૦ % પરિણામ

Facebook
Twitter
WhatsApp
Telegram

ધો. ૧૦ એસ.એસ.સી.માં સુરતનું ૮૬.૨૦ % પરિણામ

એ-૧ ગ્રેડમાં ૫૩૯૩ વિદ્યાર્થીઓ: રાજ્યભરમાં સૌથી વધુ એ-૧ ગ્રેડ મેળવીને સુરતના વિદ્યાર્થીઓએ ડંકો વગાડ્યો

પરીક્ષામાં ઉપસ્થિત ૮૦,૯૬૫ માંથી ૬૯,૭૯૪ વિદ્યાર્થીઓ પાસ થયા: જિલ્લામાં વાંકલ કેન્દ્રનું સૌથી ૯૬.૧૦ ટકા અને સૌથી ઓછું માંગરોળ કેન્દ્રનું ૫૫.૬૨ % પરિણામ

રાજ્યમાં સૌથી વધુ એ-૨ ગ્રેડ મેળવવામાં પણ સુરતના વિદ્યાર્થીઓએ મારી બાજી: ૧૩,૨૭૯ વિદ્યાર્થીઓએ એ-૨ ગ્રેડ મેળવ્યો
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૫માં લેવાયેલી ધો.૧૦ (SSC) ની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે, જેમાં સુરતે સફળતાની પરંપરા જાળવી રાખતા ૮૬.૨૦ % પરિણામ મેળવ્યું છે. જિલ્લામાં એ-૧ ગ્રેડમાં ૫,૩૯૩ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. રાજ્યભરમાં સૌથી વધુ એ-૧ ગ્રેડ મેળવીને સુરતના વિદ્યાર્થીઓએ ડંકો વગાડ્યો છે. એ-૨ ગ્રેડમાં પણ રાજ્યમાં સૌથી વધુ ૧૩,૨૭૯ વિદ્યાર્થીઓ ઝળક્યા છે.
સુરત જિલ્લામાં ૮૧,૭૦૯ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી ૮૦,૯૬૫ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જે પૈકી ૬૯,૭૯૪ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. જિલ્લાની ૧૦૭ શાળાઓએ ૧૦૦ ટકા પરિણામ મેળવવાની સિદ્ધિ હાંસલ કરી છે. જિલ્લામાં વાંકલ કેન્દ્રનું સૌથી ૯૬.૧૦ ટકા અને સૌથી ઓછું માંગરોળ કેન્દ્રનું ૫૫.૬૨ % પરિણામ આવ્યું છે.
નોંધનીય છે કે, રાજ્યના કુલ ૭,૪૬,૮૯૨ વિદ્યાર્થીઓએ SSC પરીક્ષા આપી હતી. સમગ્ર રાજ્યનું ૮૩.૦૮ ટકા પરિણામ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

The specified slider does not exist.

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

દેશમાં વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત સરહદી રાજ્ય હોવાથી સરહદી જિલ્લાની પરિસ્થિતિ પર સતત નજર રાખવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચનાથી

દેશમાં વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત સરહદી રાજ્ય હોવાથી સરહદી જિલ્લાની પરિસ્થિતિ પર સતત નજર રાખવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચનાથી સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર,

ધો.૧૦ અને ધો.૧૨ પછી શું, કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૫ મેળવી લેશોઃ

ધો.૧૦ અને ધો.૧૨ પછી શું, કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૫ મેળવી લેશોઃ માહિતી વિભાગ દ્વારા ધો.૧૦ અને ધો.૧૨ પછી કારકિર્દી ધડતર કરવા માંગતા વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન

ધો. ૧૦ એસ.એસ.સી.માં સુરતનું ૮૬.૨૦ % પરિણામ

ધો. ૧૦ એસ.એસ.સી.માં સુરતનું ૮૬.૨૦ % પરિણામ એ-૧ ગ્રેડમાં ૫૩૯૩ વિદ્યાર્થીઓ: રાજ્યભરમાં સૌથી વધુ એ-૧ ગ્રેડ મેળવીને સુરતના વિદ્યાર્થીઓએ ડંકો વગાડ્યો પરીક્ષામાં ઉપસ્થિત ૮૦,૯૬૫ માંથી

પ્રવેશ માટે સોનેરી તક: આઈ.ટી.આઈ. પલસાણા ખાતે પ્રવેશસત્ર-૨૦૨૫ માટે ફોર્મ ભરાવાની પ્રક્રિયા શરૂ

પ્રવેશ માટે સોનેરી તક: આઈ.ટી.આઈ. પલસાણા ખાતે પ્રવેશસત્ર-૨૦૨૫ માટે ફોર્મ ભરાવાની પ્રક્રિયા શરૂ ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ.) પલસાણા દ્વારા જણાવવામાં આવે છે કે ઓગસ્ટ –

error: Content is protected !!