ઉમરપાડાના સમગ્ર બિલવણ ગામને ૧૦૦ ટકા પ્રાકૃતિક ગામ બનાવવા માટે ખેડૂતો અને અધિકારીઓ થયા સંકલ્પબદ્ધ

Facebook
Twitter
WhatsApp
Telegram

લોકોના સ્વાસ્થ્ય અને ધરતી માતાની તંદુરસ્તી માટે સુરત ખેતીવાડી વિભાગની અભિનવ પહેલ
 
ઉમરપાડાના સમગ્ર બિલવણ ગામને ૧૦૦ ટકા પ્રાકૃતિક ગામ બનાવવા માટે ખેડૂતો અને અધિકારીઓ થયા સંકલ્પબદ્ધ
 
છેવાડાના ઉમરપાડા તાલુકાના સમગ્ર બિલવણ ગામના ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તે માટે જિલ્લા ખેતીવાડી-બાગાયત અધિકારીઓ-માસ્ટર ટ્રેનરોએ ઘરે ઘરે જઈને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી વિશે માહિતગાર કર્યા
 
બિલવણ ગામની પ્રાકૃતિક ખેતી કરતી ૧૦૦ બહેનોએ પોતાના ગામને પ્રાકૃતિક ગામ બનાવવા માટે બીડુ ઝડપ્યુંઃ
 
બિલવણને પ્રાકૃતિક પ્રાકૃતિક કૃષિગ્રામમાં પરિવર્તિત કરવા માટે જિલ્લા ખેતીવાડી, બાગાયત, આત્મા પ્રોજેકટનું સંયુકત અભિયાન

સુરત:બુધવારઃ- રાજયના ખેડૂતો વધુમાં વધુ પ્રાકૃતિક ખેતી કરતા થાય તે માટે ‘મિશન મૉડ’ પર પ્રાકૃતિક કૃષિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. લોકોના આરોગ્ય માટે, ધરતી મા અને ગૌમાતાના સંરક્ષણ માટે રસાયણમુકત ખેતીના સ્થાને પ્રાકૃતિક ખેતી અપનાવીને ખેડૂતો આત્મનિર્ભર બને તેવા આશયથી જિલ્લા ખેતીવાડી, બાગાયત, આત્મા પ્રોજેકટ, કેવીકે દ્વારા અભિનવ પહેલ કરવામાં આવી છે, જેના ભાગરૂપે ઉમરપાડા તાલુકાના બિલવણ ગામને ૧૦૦ ટકા પ્રાકૃતિક ગામ બનાવવા માટે ખેડૂતો અને અધિકારીઓ થયા સંકલ્પબદ્ધ થયા છે.
જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધી તથા જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલના માર્ગદર્શન હેઠળ જિલ્લા ખેતીવાડી વિભાગના અધિકારીઓ-માસ્ટર ટ્રેનરોએ ઘરે ઘર ફરીને ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ જણાવીને ખેતી કરવા માટે સમજાવ્યા હતા.
જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી સતીશ ગામીત, આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી એન.જી.ગામીત, કેવીકેના વડા અને વરિષ્ઠ વૈજ્ઞાનિક ડો.જનકભાઈ રાઠોડ, નાયબ બાગાયત નિયામકશ્રી ડી.કે.પડાલિયાએ ઘરે ઘર ફરીને બિલવણ ગામના ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની વિવિધ યોજનાઓની માહિતી આપી હતી.
‘ઔદ્યોગીકરણની દોટમાં પર્યાવરણની સમતુલા ખોરવાઈ છે, ત્યારે રાસાયણિક ખાતર વિનાની ઝીરો બજેટની પ્રાકૃતિક ખેતી ખેડૂતોની સમૃદ્ધિના દ્વાર ખોલી રહી છે. રાસાયણિક ખેતીથી પ્રકૃતિને ગંભીર નુકસાન થઈ રહ્યુ છે, લોકોમાં રોગોનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે, ત્યારે પ્રાકૃતિક ખેતી કરીને નવી પેઢીને ફળદ્રુપ જમીનની ભેટ આપવાની સાથે લોકોને સ્વાસ્થ્યવર્ધક ખોરાક મળી રહે તે માટે અધિકારીઓએ સૌ ખેડૂતોને સમજાવ્યા હતા. આ ખેતીમાં ખેતી ખર્ચ ઘટવાની સાથે ઉત્પાદન વધે છે તે અંગે માહિતગાર કર્યા હતા.
ઝેરમુકત ખેતી કરવા માટે બિલવણ ગામની પ્રાકૃતિક ખેતી કરતી ૧૦૦ બહેનોએ ગામના ઉર્મિલાબેનની આગેવાની હેઠળ સમગ્ર ગામના ૪૦૦ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિગ્રામ બનાવવા માટે બીડુ ઝડપ્યું છે. શરૂઆતમાં પ્રાકૃતિક ખેતી કરતી આ બહેનો ગામના અન્ય ખેડૂતોને જીવામૃત આપશે, ત્યારબાદ ગ્રામજનોને તેના ફાયદાઓ મળ્યેથી વધુમાં વધુ ખેડૂતોને જોડવા માટે પ્રેરિત કરશે.
આ સમગ્ર દિવસના અભિયાનમાં જિલ્લાના પ્રાકૃતિક કૃષિ અભિયાનના દ.ગુજ. ખેડૂત સંયોજક કમલેશભાઈ તથા જિલ્લા સંયોજક કિશોરભાઈ તથા સર્વશ્રી મહેશભાઈ પટેલ, મનહરભાઈ લાડ, જયંતીભાઈ, વિકાસ ગામીત, વાલજીભાઈ ચૌધરી, હર્ષદ ચૌધરી સહિતના અન્ય ખેડૂતોએ ઘરે ઘર ફરીને જીવામૃત્ત, ઘનજીવામૃત્ત, અગ્નિઅસ્ત્રના ફાયદાઓ જણાવી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટેની જાણકારી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

The specified slider does not exist.

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

સણવલ્લા વેલણપુર રોડ પરથી મહુવા પોલિસે બે કારમાંથી વિદેશીદારૂ સાથે કુલ્લે 17,77,923 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો

સણવલ્લા વેલણપુર રોડ પરથી મહુવા પોલિસે બે કારમાંથી વિદેશીદારૂ સાથે કુલ્લે 17,77,923 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ મહુવા બાતમી મળી

સુરતના ચેતનકુમાર સોહલીયા ગણિતશાસ્ત્ર વિષયમાં પીએચ.ડી. થયા

સુરતના ચેતનકુમાર સોહલીયા ગણિતશાસ્ત્ર વિષયમાં પીએચ.ડી. થયા સુરતના રહેવાસી તથા VIE BIOTECH ના કોફાઉન્ડર ચેતનકુમાર રમેશભાઈ સોહલીયાએ ગણિતશાસ્ત્ર વિષયમાં “AN INVENTORY SYSTEM WITH VARIOUS CONDITIONS

સુરત નવી સિવિલમાં અમરનાથ અને હજ યાત્રીઓને ફિટનેસ સર્ટિફિકેટ માટે એક જ છત નીચે વ્યવસ્થા: સર્વધર્મ સમભાવ અને સમરસતાનું ઉત્તમ ઉદાહરણ

સુરત નવી સિવિલમાં અમરનાથ અને હજ યાત્રીઓને ફિટનેસ સર્ટિફિકેટ માટે એક જ છત નીચે વ્યવસ્થા: સર્વધર્મ સમભાવ અને સમરસતાનું ઉત્તમ ઉદાહરણ નવી સિવિલમાં ૧૦ દિવસમાં

જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધીના હસ્તે સુરત જિલ્લાની વિકાસ ગાથાને વર્ણવતી ‘વિકાસ વાટિકા’ પુસ્તિકાનું વિમોચન

જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધીના હસ્તે સુરત જિલ્લાની વિકાસ ગાથાને વર્ણવતી ‘વિકાસ વાટિકા’ પુસ્તિકાનું વિમોચન વિકાસ વાટિકા’માં વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન જિલ્લામાં વિવિધ વિભાગો દ્વારા હાથ ધરાયેલા

error: Content is protected !!