સુરતના બુધિયા પરિવારનું ત્રણ પેઢીનું એક સાથે મતદાનઃ દાદા-પુત્ર તથા બન્ને પૌત્રીઓ સાથે મતદાન કર્યું

Facebook
Twitter
WhatsApp
Telegram

સુરતના બુધિયા પરિવારનું ત્રણ પેઢીનું એક સાથે મતદાનઃ દાદા-પુત્ર તથા બન્ને પૌત્રીઓ સાથે મતદાન કર્યું
 
બુધિયા પરિવારની બે બહેનોએ સાથે મળી પ્રથમવાર મતદાન કર્યું

સુરતઃમંગળવારઃ- સુરત શહેરના સેન્ટ ઝેવિયર્સ શાળાના મતદાન મથકમાં બુધિયા પરિવારની ત્રણ પેઢીના સભ્યોએ સાથે મળીને મતદાન કરીને લોકશાહી પર્વની ઉજવણી કરી હતી. ૭૪ વર્ષીય સાંવરપ્રસાદ બુધિયા તથા તેમના ૫૦ વર્ષીય પુત્ર વિશાલ તથા તેમની પૌત્રીઓ ખુશી અને ઝીલ બુધિયા સાથે મતદાન કર્યું છે.
પ્રથમવાર મતદાન કરનાર ૨૦ વર્ષીય ખુશીએ જણાવ્યું કે, જયારે કોઈ પ્રસંગની રાહ જોઈએ તેમ મતદાન માટે ઘણા દિવસોથી રાહ જોતી હતી. પ્રથમવાર મતદાન કરીને દેશના જવાબદાર નાગરિક તરીકેની ફરજ અદા કરી છે એમ જણાવી તમામ ચૂંટણીઓમાં સૌને મતદાન કરવાનો અનુરોધ કર્યો હતો. નાની બહેન ૧૮ વર્ષીય ઝીલે પણ પ્રથમવાર મતદાન કરીને અત્યંત આનંદની અનુભુતિ કરતા કહ્યું કે, જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા પણ મતદારોને આકર્ષવા માટે સખી મતદાન મથકો, આદર્શ તથા યુવા મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે, જેના કારણે મતદાન કરવાની પ્રેરણા મળે છે તેમજ ચૂંટણી પ્રક્રિયાના ચીલાચાલુ માહોલનો અનુભવ નથી થતો પણ લોકોનું ,મતદાન કેન્દ્ર સાથે અટેચમેન્ટ જળવાઈ રહે છે એમ જણાવી આ થીમ બેઝ મતદાન મથકો ઉભા કરવા બદલ તંત્રને અભિનંદન પાઠવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

The specified slider does not exist.

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

સુરત જિલ્લામાં ‘PM-PVTG ડેવલપમેન્ટ મિશન’ હેઠળ પીએમ જનમન આવાસ યોજના થકી આદિમ જૂથના પરિવારના બની રહેલા આવાસની મુલાકાત લેતા આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ

સુરત જિલ્લામાં ‘PM-PVTG ડેવલપમેન્ટ મિશન’ હેઠળ પીએમ જનમન આવાસ યોજના થકી આદિમ જૂથના પરિવારના બની રહેલા આવાસની મુલાકાત લેતા આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ સુરતના

માંગરોળ તાલુકાના લિંડયાતથી નાણા અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિ.ની છ વીજ કચેરીઓના ભવનોનું લોકાર્પણ

માંગરોળ તાલુકાના લિંડયાતથી નાણા અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિ.ની છ વીજ કચેરીઓના ભવનોનું લોકાર્પણ રૂ.નવ કરોડના ખર્ચે કીમ ઔદ્યોગિક

માંડવી ખાતે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઇ હળપતિના અધ્યક્ષસ્થાને ન્યુ ગુજરાત પેટર્ન યોજના હેઠળ વર્ષ ૨૦૨૫-‘૨૬ માટે તાલુકા આદિજાતિ વિકાસ મંડળ દ્વારા આયોજનની બેઠક યોજાઈ

માંડવી ખાતે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઇ હળપતિના અધ્યક્ષસ્થાને ન્યુ ગુજરાત પેટર્ન યોજના હેઠળ વર્ષ ૨૦૨૫-‘૨૬ માટે તાલુકા આદિજાતિ વિકાસ મંડળ દ્વારા આયોજનની બેઠક યોજાઈ રૂ.૧૭.૬૧

ગુજરાતમાં ગત વર્ષ ૨૦૨૪માં અંદાજે ૧૨.૮૮ લાખથી વધુ દેશ-વિદેશના પ્રવાસીઓ વિવિધ ચાર ‘હેરિટેજ સાઈટ’ની મુલાકાતે

ગુજરાતમાં ગત વર્ષ ૨૦૨૪માં અંદાજે ૧૨.૮૮ લાખથી વધુ દેશ-વિદેશના પ્રવાસીઓ વિવિધ ચાર ‘હેરિટેજ સાઈટ’ની મુલાકાતે ગુજરાતની ચાર હેરિટેજ સાઈટ ચાંપાનેરને વર્ષ ૨૦૦૪માં ગુજરાતની પ્રથમ ‘હેરિટેજ

error: Content is protected !!