4 સંકેતો જે કંપનીમાં આગામી છટણીનો સંકેત આપી શકે છે

Facebook
Twitter
WhatsApp
Telegram

વૈશ્વિક કંપનીઓમાંથી છટણી (layoffs) કરવામાં આવી રહી છે. ગયા વર્ષથી શરૂ થયેલા મંદીના ભયથી કંપનીઓ કર્મચારીઓની હકાલપટ્ટી કરી રહી છે. જેના કારણે ઘણા કર્મચારીઓ તેમની નોકરીઓ અને ભાવિ કારકિર્દી તથા નાણાકીય બાબતોને લઈ ભયમાં રહે છે. આ દરમિયાન કરિયર એડવાઈઝર અને CNBC કન્ટ્રીબ્યુટર સુઝી વેલ્ચે કોઈ કંપની નોકરીમાં છટણી કરવાની યોજના બનાવી રહી છે કે કેમ? તે કેવી રીતે શોધી કાઢવું તે અંગેની ટીપ્સ શેર કરી છે.

સુઝી વેલ્ચે CNBCને કહ્યા મુજબ, કંપની છટણી પહેલા જ કેટલાક સંકેતો બતાવે છે. જેથી કંપની પર ઈન્ટરનેટ વડે ધ્યાન રાખો. ઉદ્યોગના વિશ્લેષકો અને અન્ય નિષ્ણાતો કંપનીની નાણાકીય બાબતો વિશે વિવિધ પ્લેટફોર્મ પર શું કહે છે? તે વાંચો. તમારા ક્ષેત્રનાં ટ્રેન્ડ પર નજીકથી નજર રાખવા માટે ન્યૂઝલેટર્સ, બ્લોગ્સ અને આઉટલેટ્સને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.

કંપનીની ફાઇનાન્સિયલ હેલ્થ પર ધ્યાન આપો

વેલ્ચે જણાવ્યું હતું કે, કંપનીની કમાણીના અહેવાલો અને ગાઇડન્સ તથા તેના શેરના ભાવમાં થતી હિલચાલ પરથી કંપની ફાઇનાન્સિયલી રીતે કેવું પ્રદર્શન કરે છે? તેનો ખ્યાલ આવે છે. માર્કેટ તમારી કંપની વિશે શું કહે છે અને શેરની કિંમત ક્યાં જઈ રહી છે? તેના પર નજર રાખવી જોઈએ.

આ પણ વાંચો – ખુશખબર! મોટી સરકારી ભરતી આવી, 30 હજારથી વધુ જગ્યાઓ ખાલી, 10 પાસ પણ કરી શક્શે અરજી

તમારા બોસને ઓબ્ઝર્વ કરો

નોકરી પર તમારા મેનેજર અથવા સુપરવાઇઝર સાથે સારો સંબંધ જાળવી રાખવાથી છટણી થવાની વાતની તમને આગોતરી જાણ થઈ શકે છે. આ ઉપરાંત તમારા બોસ પણ તમને જાણ કરી શકે છે. આખરે તો તે પણ માણસ છે. તમારા બોસ તેમના વિશ્વાસુ ટીમ મેમ્બરને છટણી અંગે માહિતી શેર કરી શકે છે.

કોસ્ટ કટીંગ પર ધ્યાન રાખો

કંપની કોસ્ટ કટીંગ કરવા લાગે તો તે પણ છાટણીનો સંકેત હોઈ શકે છે. ઉદાહરણ તરીકે, કંપનીની ઇવેન્ટનું રદ થવું, પ્રોજેક્ટ્સ, કર્મચારીના બેનિફિટ્સ પર કાપ સહિતની બાબતો તેના સંકેત હોય શકે છે.

વેલ્ચ કહે છે કે, કર્મચારીઓને તગેડવા સિવાય કંપની સંસાધનો પર કાપ કરે તો તે સંકેત હોઈ શકે છે. કંપનીઓ સામાન્ય રીતે કર્મચારીઓમાં કાપ મૂકવાનું શરૂ કરે તે પહેલાં પ્રોજેક્ટ્સ, પ્રોગ્રામ્સ અને ઇવેન્ટ્સમાં કાપ મૂકવાનો પ્રયાસ કરશે. આવું થાય તો ચિંતાનો વિષય છે.

First published:

Tags: Career and Jobs, Career News

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

The specified slider does not exist.

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

સુરત જિલ્લામાં ‘PM-PVTG ડેવલપમેન્ટ મિશન’ હેઠળ પીએમ જનમન આવાસ યોજના થકી આદિમ જૂથના પરિવારના બની રહેલા આવાસની મુલાકાત લેતા આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ

સુરત જિલ્લામાં ‘PM-PVTG ડેવલપમેન્ટ મિશન’ હેઠળ પીએમ જનમન આવાસ યોજના થકી આદિમ જૂથના પરિવારના બની રહેલા આવાસની મુલાકાત લેતા આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ સુરતના

માંગરોળ તાલુકાના લિંડયાતથી નાણા અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિ.ની છ વીજ કચેરીઓના ભવનોનું લોકાર્પણ

માંગરોળ તાલુકાના લિંડયાતથી નાણા અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિ.ની છ વીજ કચેરીઓના ભવનોનું લોકાર્પણ રૂ.નવ કરોડના ખર્ચે કીમ ઔદ્યોગિક

માંડવી ખાતે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઇ હળપતિના અધ્યક્ષસ્થાને ન્યુ ગુજરાત પેટર્ન યોજના હેઠળ વર્ષ ૨૦૨૫-‘૨૬ માટે તાલુકા આદિજાતિ વિકાસ મંડળ દ્વારા આયોજનની બેઠક યોજાઈ

માંડવી ખાતે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઇ હળપતિના અધ્યક્ષસ્થાને ન્યુ ગુજરાત પેટર્ન યોજના હેઠળ વર્ષ ૨૦૨૫-‘૨૬ માટે તાલુકા આદિજાતિ વિકાસ મંડળ દ્વારા આયોજનની બેઠક યોજાઈ રૂ.૧૭.૬૧

ગુજરાતમાં ગત વર્ષ ૨૦૨૪માં અંદાજે ૧૨.૮૮ લાખથી વધુ દેશ-વિદેશના પ્રવાસીઓ વિવિધ ચાર ‘હેરિટેજ સાઈટ’ની મુલાકાતે

ગુજરાતમાં ગત વર્ષ ૨૦૨૪માં અંદાજે ૧૨.૮૮ લાખથી વધુ દેશ-વિદેશના પ્રવાસીઓ વિવિધ ચાર ‘હેરિટેજ સાઈટ’ની મુલાકાતે ગુજરાતની ચાર હેરિટેજ સાઈટ ચાંપાનેરને વર્ષ ૨૦૦૪માં ગુજરાતની પ્રથમ ‘હેરિટેજ

error: Content is protected !!