પીએમ કિસાન યોજનાના લાભાર્થી ખેડૂતોને લેન્ડ સીડીંગ/ઈ-કેવાયસી/આધાર સીડીંગ બાકી હોય તો કાર્યવાહી સત્વરે પૂર્ણ કરવી

Facebook
Twitter
WhatsApp
Telegram

પીએમ કિસાન યોજનાના લાભાર્થી ખેડૂતોને લેન્ડ સીડીંગ/ઈ-કેવાયસી/આધાર સીડીંગ બાકી હોય તો કાર્યવાહી સત્વરે પૂર્ણ કરવી

લેન્ડ સીડીંગ/ઈ-કેવાયસી/આધાર સીડીંગ બાકી હોય તેવા ખેડૂત લાભાર્થીઓ આગામી ૨૦માં હપ્તાથી વંચિત રહેશે

પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ પાત્રતા ધરાવતા ખેડૂત પરિવારોને સરકાર દ્વારા વાર્ષિક રૂ. ૬,૦૦૦ની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. આ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં ૧૯ હપ્તાની સહાય રકમ સીધી લાભાર્થીઓના બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવી છે.

પીએમ કિસાન યોજનાનો લાભ મેળવવા ખેડૂતો માટે ભારત સરકાર દ્વારા છેલ્લા આઠ હપ્તાથી તબક્કાવાર લેન્ડ સીડીંગ, આધાર સીડીંગ-ડીબીટી એનેબલ તથા ઈ-કેવાયસી ફરજીયાત કરવામાં આવ્યું છે. ઉપરોક્ત બાબતો પૈકી એકપણ બાબત પૂર્ણ ન થઈ હોય તો લાભાર્થી યોજનાનો લાભ મેળવવાથી વંચિત રહે છે. આ માટે રાજ્યના જે લાભાર્થી ખેડૂતોના હપ્તા ઉક્ત બાબતો પૈકી કોઈ કારણોસર બંધ થયા હોય, તો ખેડૂતોએ સત્વરે તે કાર્યવાહી પૂર્ણ કરવાની રહેશે.

ટૂંક જ સમયમાં પીએમ કિસાન યોજનાનો આગામી ૨૦મો હપ્તો રીલીઝ થવાનો હોવાથી, કોઈપણ ખેડૂત લાભાર્થી લાભથી વંચિત ન રહી જાય તે માટે ખેડૂતોએ પેન્ડીંગ કાર્યવાહી સત્વરે પૂર્ણ કરવી અનિવાર્ય છે.

સીડીંગની કાર્યવાહી કેવી રીતે કરવી?
લેન્ડ સીડીંગ બાકી હોય તેવા ખેડૂતોએ જમીનની અદ્યતન વિગતો સાથે ગામના વિલેજ નોડલ ઓફીસર, ગ્રામ સેવક અથવા સંબંધિત જિલ્લા ખેતાવાડી અધિકારીશ્રીની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે.

આધાર સીડીંગ બાકી હોય તેવા ખેડૂત લાભાર્થીઓએ લાભાન્વિત બેન્કમાં આધાર કાર્ડ સાથે ઉપસ્થિત રહી આધાર સીડીંગ-ડીબીટી એનેબલ કરાવી લેવાનું રહેશે અથવા નજીકની પોસ્ટ ઓફીસ ખાતે આધાર કાર્ડ સાથે ઉપસ્થિત રહી ઈન્ડીયા પોસ્ટ પેમેન્ટ બેંકમાં આધાર સીડીંગ-ડીબીટી એનેબલ સાથેનું નવું ખાતુ ખોલાવી લેવાનું રહેશે.

ઈ-કેવાયસી બાકી હોય તેવા લાભાર્થીઓએ આપના ગામના ગ્રામસેવક અથવા વિલેજ નોડલ ઓફીસરનો સંપર્ક કરીને ફેસ ઓથેન્ટીકેશન દ્વારા ઈ-કેવાયસી કરાવી લેવાનું રહેશે અથવા નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC) પર અને ઈ-ગ્રામ કેન્દ્ર ખાતે પણ લાભાર્થી રૂ. ૧૫ ચાર્જ ચુકવીને બાયોમેટ્રિક ઓથેન્ટીફીકેશન દ્વારા ઈ-કેવાયસી કરાવી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

The specified slider does not exist.

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

ધો.૧૦ અને ધો.૧૨ પછી શું, કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૫ મેળવી લેશોઃ

ધો.૧૦ અને ધો.૧૨ પછી શું, કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૫ મેળવી લેશોઃ માહિતી વિભાગ દ્વારા ધો.૧૦ અને ધો.૧૨ પછી કારકિર્દી ધડતર કરવા માંગતા વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન

ધો. ૧૦ એસ.એસ.સી.માં સુરતનું ૮૬.૨૦ % પરિણામ

ધો. ૧૦ એસ.એસ.સી.માં સુરતનું ૮૬.૨૦ % પરિણામ એ-૧ ગ્રેડમાં ૫૩૯૩ વિદ્યાર્થીઓ: રાજ્યભરમાં સૌથી વધુ એ-૧ ગ્રેડ મેળવીને સુરતના વિદ્યાર્થીઓએ ડંકો વગાડ્યો પરીક્ષામાં ઉપસ્થિત ૮૦,૯૬૫ માંથી

પ્રવેશ માટે સોનેરી તક: આઈ.ટી.આઈ. પલસાણા ખાતે પ્રવેશસત્ર-૨૦૨૫ માટે ફોર્મ ભરાવાની પ્રક્રિયા શરૂ

પ્રવેશ માટે સોનેરી તક: આઈ.ટી.આઈ. પલસાણા ખાતે પ્રવેશસત્ર-૨૦૨૫ માટે ફોર્મ ભરાવાની પ્રક્રિયા શરૂ ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ.) પલસાણા દ્વારા જણાવવામાં આવે છે કે ઓગસ્ટ –

સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની નદી, નહેર, તળાવો અને દરિયાકાંઠા સહિતના ૭૮ સ્થળોએ પાણીમાં પ્રવેશવા પર પ્રતિબંધ:

સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની નદી, નહેર, તળાવો અને દરિયાકાંઠા સહિતના ૭૮ સ્થળોએ પાણીમાં પ્રવેશવા પર પ્રતિબંધ: રાજયમાં ડુબી જવાની ધટનાઓને ધ્યાને લઈને ગાંધીનગર ગૃહ વિભાગના

error: Content is protected !!