મહુવા તાલુકામાં નવા તાલુકા પંચાયત પ્રમુખ ઉપ,પ્રમુખ ની વરણી કરાઈ

Facebook
Twitter
WhatsApp
Telegram

પ્રાપ્ત વિગત મુજબ મહુવા તાલુકા પંચાયતના પ્રમુખ હિતેન્દ્રભાઈ પટેલ અને ઉપપ્રમુખ વૈશાલીબેન પટેલની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતા નવા પ્રમુખ ઉપપ્રમુખની વરણી માટે તા-14/09/2023ને ગુરુવારના રોજ તાલુકા પંચાયતના સભાખંડમા બપોરે 12 વાગ્યે ખાસ સામાન્ય સભાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.તે પહેલા બુધવારના રોજ ભાજપ પ્રદેશ પ્રમુખ દ્વારા આપવામાં આવેલ મહુવા તાલુકા પંચાયતના નવા પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ, શાસક પક્ષ નેતા અને દંડકના નામનુ મેન્ડેટ ખુલતા જ કહીં ખુશી તો કહી ગમનો માહોલ જોવા મળ્યો હતો.અને હોદ્દા માટે થનગનતા કેટલાક સભ્યોના મેન્ડેટમા નામ ન આવતા તેઓ ભારે નારાજ થઈ ગયા હતા.તેઓના સ્વપ્ન રોળાઈ જતા અંદરો અંદર ભારે કચવાટ પણ જોવા મળ્યો હતો.નારાજ સભ્યો બળવો કરી મેન્ડેટ વિરુદ્ધ મતદાન ન કરે તે માટે મહુવા તાલુકા ભાજપ પ્રમુખ હિતેશભાઈ નાયક દ્વારા સમય સૂચકતા વાપરી તમામ 15 સભ્યોને અનાવલ ખાતે ભેગા કરી નારાજ સભ્યોનો રોષ થાળે પાડી તેમને સમજાવ્યા હતા.ત્યારબાદ ગુરુવારના રોજ બપોરે 12 વાગ્યે તાલુકા પંચાયત કચેરી ખાતે આગામી અઢી વર્ષ માટેના પ્રમુખ ઉપપ્રમુખની વરણી માટે યોજાયેલ ચૂંટણીમા ભાજપના ઉમેદવાર શિલાબેન પટેલને 15 મત મળ્યા હતા જ્યારે કોંગ્રેસના ઉમેદવાર વિલાસબેન પટેલને 5 મત મળતા શિલાબેન પટેલની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી.જ્યારે ઉપપ્રમુખ પદના ભાજપના ઉમેદવાર ચેતનભાઈ મિસ્ત્રીને 15 મત મળ્યા હતા જ્યારે હરીફ ઉમેદવાર પરિમલભાઈ પટેલને 5 મત મળતા ભાજપના ચેતનભાઈ મિસ્ત્રીની ઉપપ્રમુખ પદે વરણી કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

The specified slider does not exist.

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

સુરત જિલ્લામાં ‘PM-PVTG ડેવલપમેન્ટ મિશન’ હેઠળ પીએમ જનમન આવાસ યોજના થકી આદિમ જૂથના પરિવારના બની રહેલા આવાસની મુલાકાત લેતા આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ

સુરત જિલ્લામાં ‘PM-PVTG ડેવલપમેન્ટ મિશન’ હેઠળ પીએમ જનમન આવાસ યોજના થકી આદિમ જૂથના પરિવારના બની રહેલા આવાસની મુલાકાત લેતા આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ સુરતના

માંગરોળ તાલુકાના લિંડયાતથી નાણા અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિ.ની છ વીજ કચેરીઓના ભવનોનું લોકાર્પણ

માંગરોળ તાલુકાના લિંડયાતથી નાણા અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિ.ની છ વીજ કચેરીઓના ભવનોનું લોકાર્પણ રૂ.નવ કરોડના ખર્ચે કીમ ઔદ્યોગિક

માંડવી ખાતે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઇ હળપતિના અધ્યક્ષસ્થાને ન્યુ ગુજરાત પેટર્ન યોજના હેઠળ વર્ષ ૨૦૨૫-‘૨૬ માટે તાલુકા આદિજાતિ વિકાસ મંડળ દ્વારા આયોજનની બેઠક યોજાઈ

માંડવી ખાતે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઇ હળપતિના અધ્યક્ષસ્થાને ન્યુ ગુજરાત પેટર્ન યોજના હેઠળ વર્ષ ૨૦૨૫-‘૨૬ માટે તાલુકા આદિજાતિ વિકાસ મંડળ દ્વારા આયોજનની બેઠક યોજાઈ રૂ.૧૭.૬૧

ગુજરાતમાં ગત વર્ષ ૨૦૨૪માં અંદાજે ૧૨.૮૮ લાખથી વધુ દેશ-વિદેશના પ્રવાસીઓ વિવિધ ચાર ‘હેરિટેજ સાઈટ’ની મુલાકાતે

ગુજરાતમાં ગત વર્ષ ૨૦૨૪માં અંદાજે ૧૨.૮૮ લાખથી વધુ દેશ-વિદેશના પ્રવાસીઓ વિવિધ ચાર ‘હેરિટેજ સાઈટ’ની મુલાકાતે ગુજરાતની ચાર હેરિટેજ સાઈટ ચાંપાનેરને વર્ષ ૨૦૦૪માં ગુજરાતની પ્રથમ ‘હેરિટેજ

error: Content is protected !!