રાઈના પાકમાં સંકલિત રોગ-જીવાત વ્યવસ્થાપન માટે ખેડુતોએ વાવણી પહેલા અને વાવણી સમયે પગલા લેવા અનુરોધ

Facebook
Twitter
WhatsApp
Telegram

રાઈના પાકમાં સંકલિત રોગ-જીવાત વ્યવસ્થાપન માટે ખેડુતોએ વાવણી પહેલા અને વાવણી સમયે પગલા લેવા અનુરોધ

રાઈના પાકમાં રોગ-જીવાત નિયંત્રણ માટે સરદાર કૃષિનગર દાંતીવાડા અને આણંદ કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા ખેડુતોને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. જેમાં રાઈના પાકમાં તળછારો રોગને અટકાવવા માટે બે થી ત્રણ વર્ષ માટે પાકની ફેરબદલી કરવી જોઈએ. સાથે જ રોગિષ્ટ અવશેષોનો નાશ કરવો, રોગમુક્ત પ્રમાણિત બિયારણની પસંદગી કરવી જોઈએ. જીએમ ૭(બનાસ અનમોલ), ગુજરાત આણંદ રાઇ -૮ (આણંદ હેમા) જેવી ભૂકી છારો રોગપ્રતિકારક નવીન જાતો વાવેતર કરવાની ભલામણ કરી છે.
બિયારણને વાવતા પહેલાં ફૂગનાશક દવા થાયરમ અથવા કેપ્ટાન (૩ ગ્રામ પ્રતિ ૧ કિ.ગ્રા. બીજ) અથવા એપ્રોન (મેટાલેક્ષીલ) ૩૫ એસ ડી નો ૬ ગ્રામ/ કિ.ગ્રા. બીજ દીઠ પટ આપવો. ભલામણ મુજબ નાઇટ્રોજનયુક્ત ખાતર અને પિયત આપવાનો આગ્રહ રાખવા જોઈએ. વધુમાં દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલા લેબલ મુજબ જે તે પાક માટે તે ભલામણમાં જણાવ્યા મુજબની કાળજીઓ રાખવા જણાવાયું છે.
આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ, ખેતી અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) તેમજ નાયબ ખેતી નિયામક(તાલીમ)નો સંપર્ક સાધવા સુરત જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

The specified slider does not exist.

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

સુરત જિલ્લામાં ‘PM-PVTG ડેવલપમેન્ટ મિશન’ હેઠળ પીએમ જનમન આવાસ યોજના થકી આદિમ જૂથના પરિવારના બની રહેલા આવાસની મુલાકાત લેતા આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ

સુરત જિલ્લામાં ‘PM-PVTG ડેવલપમેન્ટ મિશન’ હેઠળ પીએમ જનમન આવાસ યોજના થકી આદિમ જૂથના પરિવારના બની રહેલા આવાસની મુલાકાત લેતા આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ સુરતના

માંગરોળ તાલુકાના લિંડયાતથી નાણા અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિ.ની છ વીજ કચેરીઓના ભવનોનું લોકાર્પણ

માંગરોળ તાલુકાના લિંડયાતથી નાણા અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિ.ની છ વીજ કચેરીઓના ભવનોનું લોકાર્પણ રૂ.નવ કરોડના ખર્ચે કીમ ઔદ્યોગિક

માંડવી ખાતે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઇ હળપતિના અધ્યક્ષસ્થાને ન્યુ ગુજરાત પેટર્ન યોજના હેઠળ વર્ષ ૨૦૨૫-‘૨૬ માટે તાલુકા આદિજાતિ વિકાસ મંડળ દ્વારા આયોજનની બેઠક યોજાઈ

માંડવી ખાતે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઇ હળપતિના અધ્યક્ષસ્થાને ન્યુ ગુજરાત પેટર્ન યોજના હેઠળ વર્ષ ૨૦૨૫-‘૨૬ માટે તાલુકા આદિજાતિ વિકાસ મંડળ દ્વારા આયોજનની બેઠક યોજાઈ રૂ.૧૭.૬૧

ગુજરાતમાં ગત વર્ષ ૨૦૨૪માં અંદાજે ૧૨.૮૮ લાખથી વધુ દેશ-વિદેશના પ્રવાસીઓ વિવિધ ચાર ‘હેરિટેજ સાઈટ’ની મુલાકાતે

ગુજરાતમાં ગત વર્ષ ૨૦૨૪માં અંદાજે ૧૨.૮૮ લાખથી વધુ દેશ-વિદેશના પ્રવાસીઓ વિવિધ ચાર ‘હેરિટેજ સાઈટ’ની મુલાકાતે ગુજરાતની ચાર હેરિટેજ સાઈટ ચાંપાનેરને વર્ષ ૨૦૦૪માં ગુજરાતની પ્રથમ ‘હેરિટેજ

error: Content is protected !!