અગ્નિવીર ભરતી પૂર્વે તાલીમ માટે આદિજાતિ(ST) ઉમેદવારો માટે રક્ષાશક્તિ યુનિવર્સિટી દ્વારા નિ:શુલ્ક તાલીમ યોજાશે.
તાલીમમાં જોડાવા ઈચ્છુક ઉમેદવારો તા.૧૧મીએ રોજગાર કચેરીમાં રૂબરૂ આવી નામ નોંધાવે
રાજ્યના અનુસુચિત જનજાતિના ઉમેદવારો માટે ભારતીય સંરક્ષણ દળોમાં આર્મી/નેવી/એરફોર્સમાં કારકિર્દી બનાવવા ઈચ્છુક ઉમેદવારો માટે અગ્નિવીર ભરતી પૂર્વે તાલીમનું આયોજન રક્ષાશક્તિ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી રહ્યું છે. જેમાં ઉમેદવારોની રહેવા, જમવા તેમજ પરીક્ષાલક્ષી તાલીમ વિનામૂલ્યે અપાશે. આ તાલીમમાં જોડાવા ઈચ્છુક તા.૦૧/૦૮/૨૦૦૪ થી તા.૦૧/૦૪/૨૦૦૭ દરમિયાન જન્મેલા એસ.ટી. ઉમેદવારો કે જેઓ ધો.૧૦ પાસ લઘુતમ ૪૫% અને દરેક વિષયમાં લઘુતમ ૩૩ ગુણ તથા ઊંચાઇ ૧૬૨ સે.મી., વજન: ૫૦ કિગ્રા અને છાતીનું માપ: ૭૭-૮૨ સે.મી ધરાવતા હોય તેઓ તાલીમમાં જોડાઈ શકશે. તાલીમમા ભાગ લેવા માટે તા.૧૧/૦૭/૨૦૨૪ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકથી કચેરી સમય દરમિયાન મદદનીશ નિયામક (રોજગાર)કચેરી, સી વિંગ, ૫મો માળ, બહુમાળી ભવન, નાનપુરા ખાતે રૂબરૂ નામ નોંધાવવા મદદનીશ નિયામક(રોજગાર), સુરતની યાદીમાં જણાવાયું છે.
