શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪: ઉજવણી.. ઉલ્લાસમય શિક્ષણની’
સુરતના ચોર્યાસી તાલુકામાં ૧૩ બાળકોને આંગણવાડીમાં અને ૫૬ બાળકોને બાળવાટિકમાં પ્રવેશ
નવી શિક્ષણનીતિ ૨૦૨૦ અંતર્ગત પૂર્વ પ્રાથમિક શિક્ષણને બાળકના સર્વાંગી વિકાસ માટે પ્રાધાન્ય આપતા રાજ્યસરકારનાપ્રોજેકટ “પા પા પગલી” અંતર્ગત આંગણવાડીમાં આવતા ૩ થી ૫ વર્ષના બાળકોને જીવનના મહત્વના વર્ષોમાં તેમના ગુણવતાપૂર્ણ જીવન માટેનો મજબુત પાયો બંધાય તેમજ બાળકોનો સર્વાગી વિકાસ થાય અને તેઓ બાળવાટિકાના શિક્ષણ માટે સજ્જતા કેળવે તે હેતુથી શાળા પ્રવેશોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકા ખાતે ૧૩ બાળકોને આંગણવાડીમાં અને ૫૬ બાળકોને બાળવાટિકમાં પ્રવેશ કરાવાયો હતો. મહાનુભાવો દ્વારા શાળા અને આંગણવાડીના ભૂલકાઓને શિક્ષણ માટે પ્રોત્સાહન રૂપે ચિત્રપોથી સહિત ઉપહાર આપવામાં આવ્યા હતા. તેમજ કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ચોર્યાસી તાલુકા પ્રમુખશ્રી તૃપ્તિબેન પટેલ, તાલુકા પંચાયત સભ્યશ્રી સરિતાબેન રાઠોડ, આંગણવાડી વર્કર, મોટી સંખ્યામાં ભૂલકાઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
