ચન્દ્રયાન ૩ ના સફળ લેડિંગમાં મહુવા તાલુકાના આદીવાસી શિક્ષકની છાતી ગજ ગજ ફૂલી….

Facebook
Twitter
WhatsApp
Telegram

ચંદ્રયાન ૩ ના સફળ લેડિંગે દુનિયામાં ડંકો વગાડી દીધો છે ત્યારે આજે આખો દેશ ઇસરોના વૈજ્ઞાનિકો ની સફળતાને બિરદાવી રહ્યા છે.ભારત દેશનું નામ જ્યાં નામ રોશન થયું છે ત્યારે ચંદ્ર યાનના લેડિંગ ની ક્ષણોમાં જ્યારે આખો દેશ લાઈવ ટેલિકાસ્ટ નિહાળી રહ્યો હતો.જેની સફળતા બ્યુગલ વાગતા જ ઇસરો ના વૈજ્ઞાનિકો તાળીઓના ગડગડાટ સાથે વધાવી લેવામાં આવ્યા હતા.ત્યારે સુરત જિલ્લા મહુવા તાલુકાના પુના ગામના શિક્ષક અર્જુનભાઈ અમૃતભાઈ પટેલ જેમનો વિધાર્થી કે મિતુલ ત્રિવેદી જેમણે ચંદ્રયાન 3 ની ડિઝાઇન તૈયાર કરવામાં મહત્તમ ફાળો રહ્યો હતો.તેમજ જે દુનિયાની કમજોરી હતી તેનો જ ફાયદો આ ડીઝાઇન તૈયાર કરવામાં લીધો હતો. હાલ તો ઇસરોમાં સાયન્ટીસ્ટ છે. ચંદ્રયાન ૩ નું લેડિંગ અંતિમ ચરણમાં હતું ત્યારે શિક્ષક અર્જુનભાઈ આ પળ ને નિહાળી રહ્યા હતા અને લેન્ડિંગ થયા ના સમાચાર ની ખુશી જયારે આખો દેશ મનાવી રહ્યો હતો ત્યારે સફળ લેન્ડિંગ ના 15 મિનિટ બાદ તરત જ વૈજ્ઞાનિક મિતુલ ત્રિવેદી નો ફોન એમના શિક્ષક અર્જુનભાઈ પર આવ્યો ત્યારે શિક્ષક ખુશીની એ પળ ને રોકી ના શક્યા એમની છાતી ગજ ગજ ફૂલી ગઈ હતી અને વિધાર્થી જ્યારે સફળતાના શિખરને પામે છે અને શિક્ષક ને જ્યારે યાદ કરતા હોય ત્યારે શિક્ષક માટે એનાથી વધુ ખુશીની વાત કઈ હોય શકે.

ધ સત્યમેવ ન્યૂઝ ચેનલ દ્વારા શિક્ષક અર્જુનભાઈનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે જે સંવાદ થયો એ જોતાં શિક્ષકે શિક્ષણ સાથે સંસ્કાર નું પણ એટલું જ સિંચન એમના વિધાર્થી ઓમાં કરેલ જણાઈ રહ્યું હતું.સુરત જિલ્લા મહુવા તાલુકા ના પુના ગામના વતની અર્જુન ભાઈ અમૃતભાઈ પટેલ જણાવે છે કે હું પુના ગામનો હોવા સાથે સાથે એક આદીવાસી હોવાનો મને ગર્વ છે.અને મારા વિધાર્થીઓની સફળતા એ મારા માટે સૌથી મોટી ગર્વ ની વાત છે.ચંદ્રયાન જ્યારે લેન્ડિંગ થઈ રહ્યું હતું ત્યારે ખુશીની એ પળોમાં હું ગદગદ થઈ ગયો હતો.ત્યારે શિક્ષક અર્જુનભાઇ એ સુરત જિલ્લા અને મહુવા તાલુકાનું નામ રોશન કરી દીધું છે અને ખાસ કરીને એ પણ સાબિત કરી દીધુ છે કે એક આદીવાસી શિક્ષક ની ક્ષમતા વિદ્યાર્થીઓનેવૈજ્ઞાનિક બનાવવાનની પણ છે ત્યારે હાલ તો સોસિયલ મીડિયામાં વૈજ્ઞાનિક અને શિક્ષક નો સંવાદ ખુબજ વાઇરલ થઈ રહ્યો છે.

Leave a Comment

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજી સાથે પોર્ટુગલ અને સ્લોવેકિયા જનાર પ્રતિનિધિમંડળમાં લોકસભાના દંડક વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલનો સમાવેશ

રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજી સાથે પોર્ટુગલ અને સ્લોવેકિયા જનાર પ્રતિનિધિમંડળમાં લોકસભાના દંડક વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલનો સમાવેશ ભારતના પ્રતિનિધિત્વ માટે અન્ય સાંસદો સાથે સાંસદ ધવલ

બાળમજૂરી નાબુદી અંતર્ગત સુરત જિલ્લા ટાસ્કફોર્સની ટીમે મહુવા તાલુકામાંથી ૨ તરૂણ શ્રમિકોને મુક્ત કરાવ્યા

બાળમજૂરી નાબુદી અંતર્ગત સુરત જિલ્લા ટાસ્કફોર્સની ટીમે મહુવા તાલુકામાંથી ૨ તરૂણ શ્રમિકોને મુક્ત કરાવ્યા બાળમજૂરી નાબૂદી માટે જિલ્લા ટાસ્ક ફોર્સની ટીમે સુરત જિલ્લાના મહુવા તાલુકાની

પરમાર્થ ફાઉન્ડેશનના કોમલ બચકાનીવાલાએ પોતાનો જન્મદિન સેવાભાવના સાથે નવી સિવિલના બાળદર્દીઓ સાથે ઉજવ્યો

પરમાર્થ ફાઉન્ડેશનના કોમલ બચકાનીવાલાએ પોતાનો જન્મદિન સેવાભાવના સાથે નવી સિવિલના બાળદર્દીઓ સાથે ઉજવ્યો રામનવમીના પવિત્ર પર્વે નવી સિવિલ હોસ્પિટલના બાળદર્દીઓને રમકડાં, ચોકલેટ, ફુગ્ગાઓ અને મીઠાઈ

ઓલપાડ ખાતે વન, પાણી પૂરવઠા રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જળ સંચયના કાર્યોની પ્રગતિની સમીક્ષા બેઠક યોજાઈ

ઓલપાડ ખાતે વન, પાણી પૂરવઠા રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જળ સંચયના કાર્યોની પ્રગતિની સમીક્ષા બેઠક યોજાઈ ઓલપાડના દરિયાકાંઠાના ૨૮ ગામોમાં મહત્તમ વોટર રિચાર્જ સ્ટ્રકચર બનાવાશે: