ધ સત્યમેવ ન્યૂઝ ચેનલ દ્વારા શિક્ષક અર્જુનભાઈનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે જે સંવાદ થયો એ જોતાં શિક્ષકે શિક્ષણ સાથે સંસ્કાર નું પણ એટલું જ સિંચન એમના વિધાર્થી ઓમાં કરેલ જણાઈ રહ્યું હતું.સુરત જિલ્લા મહુવા તાલુકા ના પુના ગામના વતની અર્જુન ભાઈ અમૃતભાઈ પટેલ જણાવે છે કે હું પુના ગામનો હોવા સાથે સાથે એક આદીવાસી હોવાનો મને ગર્વ છે.અને મારા વિધાર્થીઓની સફળતા એ મારા માટે સૌથી મોટી ગર્વ ની વાત છે.ચંદ્રયાન જ્યારે લેન્ડિંગ થઈ રહ્યું હતું ત્યારે ખુશીની એ પળોમાં હું ગદગદ થઈ ગયો હતો.ત્યારે શિક્ષક અર્જુનભાઇ એ સુરત જિલ્લા અને મહુવા તાલુકાનું નામ રોશન કરી દીધું છે અને ખાસ કરીને એ પણ સાબિત કરી દીધુ છે કે એક આદીવાસી શિક્ષક ની ક્ષમતા વિદ્યાર્થીઓનેવૈજ્ઞાનિક બનાવવાનની પણ છે ત્યારે હાલ તો સોસિયલ મીડિયામાં વૈજ્ઞાનિક અને શિક્ષક નો સંવાદ ખુબજ વાઇરલ થઈ રહ્યો છે.
