વિમાન દુર્ઘટના સંદર્ભે FSL ખાતે ડીએનએ સેમ્પલિંગ થી મેચિંગ સુધીની પ્રક્રિયા સતત ૨૪ કલાક ચાલુ છે: FSL ડિરેક્ટર શ્રી એચ.પી. સંઘવી

Facebook
Twitter
WhatsApp
Telegram

વિમાન દુર્ઘટના સંદર્ભે FSL ખાતે ડીએનએ સેમ્પલિંગ થી મેચિંગ સુધીની પ્રક્રિયા સતત ૨૪ કલાક ચાલુ છે: FSL ડિરેક્ટર શ્રી એચ.પી. સંઘવી

DNA પ્રોફાઇલિંગ અને મેચિંગની પ્રક્રિયા વિશે માહિતી આપતા FSLના ડિરેક્ટરશ્રી

FSL, ગાંધીનગર ખાતે FSLના ડિરેક્ટર શ્રી એચ.પી. સંઘવીએ અમદાવાદ ખાતેની વિમાન દુર્ઘટનાના સંદર્ભમાં DNA પ્રોફાઇલિંગ અને મેચિંગની પ્રક્રિયા વિશે વિસ્તૃત માહિતી આપી હતી.

શ્રી સંઘવીએ કહ્યું હતું કે, વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલાઓના પરિવારજનોના DNA સેમ્પલિંગથી મેચિંગ સુધીની પ્રક્રિયા સતત 24 કલાક કરવામાં આવી રહી છે.

શ્રી સંઘવીએ DNA પ્રોફાઇલિંગ અને મેચિંગની પ્રક્રિયા વિશે માહિતી આપતા કહ્યું હતું કે, DNAના સેમ્પલ મેળવવાની મુખ્યત્વે બે પદ્ધતિ છે. એક પદ્ધતિમાં ફ્રેશ બ્લડમાંથી સેમ્પલ લેવામાં આવે છે, જે જટિલ પ્રક્રિયા નથી. જ્યારે બીજી પદ્ધતિમાં મૃતકના અવશેષોમાંથી સેમ્પલ લેવામાં આવે છે, જે જટિલ અને વધુ ચોકસાઈ માંગી લે તેવી પ્રક્રિયા છે. મૃતકના અવશેષમાંથી લીધેલ સેમ્પલને ચીવટતાથી સાફ કરવામાં આવે છે જેથી સેમ્પલમાં કોઈ બાહ્ય અશુદ્ધિઓ ન રહે.

તેમણે ઉમેર્યું કે, DNA આઇસોલેશન અને એક્સ્ટ્રેશનની પ્રક્રિયામાં જો હાડકાનું સેમ્પલ હોય તો તેનો પાવડર કરવામાં આવે છે અને જો સેમ્પલમાં દાંત હોય તો તેના નાના નાના ટુકડાઓ કર્યા બાદ પાવડર કરવામાં આવે છે. ત્યારબાદ ખાસ મશીનમાં ચોક્કસ તાપમાને DNA આઇસોલેટ કરવામાં આવે છે. આ આઇસોલેટ DNAની RTPCR મશીનમાં કોન્ટીટી અને ક્વોલિટી તપાસવામાં આવે છે. ત્યારબાદ જો DNA યોગ્ય જણાય તો જ તેની એકથી વધુ નકલો તૈયાર કરવામાં આવે છે. જેમાંથી DNA ની બંને સ્ટ્રેનને અલગ અલગ કરવામાં આવે છે. આ સ્ટ્રેનને સિક્વન્સીયર મશીન પર ચલાવવામાં આવે છે અને ત્યારબાદ DNAની પ્રોફાઈલ પ્રાપ્ત થાય છે. આ સમગ્ર પ્રક્રિયા ખૂબ જ જટિલ તથા સમય માંગી લે તેવી છે.

તેમણે જણાવ્યું હતું કે, આ સમગ્ર પ્રક્રિયા બાદ પણ જો પૂરતી માત્રામાં DNAના એલિલ ન મળ્યા હોય તો સમગ્ર પ્રક્રિયા પુનઃ કરવામાં આવે છે. આ રીતે પ્રાપ્ત થયેલ DNAના એલિલને(Allele) મૃતકોના પરિવારજનોના DNAના એલિલ(Allele) સાથે સરખાવવામાં આવે છે અને જો 23 DNA એલિલ(Allele) મેચ થાય ત્યારે જ મૃતક અને તેના પરિવારજનની સાચી ઓળખ થાય છે. જ્યારે પિતા-પુત્રના કિસ્સામાં ખાતરી કરવા માટે ‘Y’ ક્રોમોઝોમનું ટેસ્ટિંગ કરવામાં આવે છે.

શ્રી સંઘવીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ સમગ્ર પ્રક્રિયા જટિલ અને સમય માંગી લે તેવી છે. FSL દ્વારા DNA પ્રોફાઇલિંગ અને મેચિંગની પ્રક્રિયા વધુ ચોકસાઈપૂર્વક કરી ખૂબ જ ટૂંકા ગાળામાં મોટા ભાગના મૃતકોની તેમના પરિવારજનો સાથેની ઓળખ પ્રસ્થાપિત કરી દેવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

The specified slider does not exist.

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

Breaking news:-અનાવલ જંગલ વિસ્તારમાં ઘોડી સ્થળ નજીક કદાવર વૃક્ષ ધરાસાય વાહન વ્યવહાર ઠપ્પ.

Breaking news:-અનાવલ જંગલ વિસ્તારમાં ઘોડી સ્થળ નજીક કદાવર વૃક્ષ ધરાસાય વાહન વ્યવહાર ઠપ્પ. સુરત,મહુવા:‌‌-મહુવા તાલુકામાં બપોર બાદ ધીમીધારે વરસાદ શરૂ થયા બાદ રાત્રી ના લગભગ

ઉમરા ગામે ખુલ્લામાં બિન્દાસ્ત આંટાફેરા મારતો દીપડો કેમેરામાં કેદ.

ઉમરા ગામે ખુલ્લામાં બિન્દાસ્ત આંટાફેરા મારતો દીપડો કેમેરામાં કેદ. સુરત,મહુવા:-સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગત મુજબ મહુવા તાલુકો દીપડાનું અભયારણ્ય બની ચૂક્યું છે ત્યારે ગામે ગામ બિન્દાસ્ત

અમદાવાદ વિમાન દુર્ઘટના અપડેટ, તા. 15-06-2025

અમદાવાદ વિમાન દુર્ઘટના અપડેટ, તા. 15-06-2025 વિમાન દુર્ઘટનાગ્રસ્ત મુસાફરોના કાયદેસર વારસદારોને વીમા/દાવાની સહાય ચૂકવવા માટે હેલ્પડેસ્ક શરૂ કરાયા જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા વીમા ચુકવણીમાં સહાયરૂપ થવા

કેદારનાથ જઈ રહેલું હેલિકોપ્ટર ગૌરીકુંડ પાસે ક્રેશ, ગુજરાતી સહિત 7 લોકોના મોત

કેદારનાથ જઈ રહેલું હેલિકોપ્ટર ગૌરીકુંડ પાસે ક્રેશ, ગુજરાતી સહિત 7 લોકોના મોત ઉત્તરાખંડના કેદારનાથમાં આજે સવારે એક હેલિકોપ્ટર ક્રેશ થયું. આ સમગ્ર ઘટના ગૌરીકુંડ વિસ્તાર

error: Content is protected !!