નારિયેળી પૂનમ ટાણે ધોલાઈ બંદરે સંખ્યાબંધ હોડીઓ એકઠી થતાં અનેરાં દ્રશ્યો જોવા મળ્યાં

Facebook
Twitter
WhatsApp
Telegram

નારિયેળી પૂનમ એટલે સાગર ખેડુઓ માટે અતિ મહત્વનો દિવસ ગણાય છે. આ દિવસે દરિયા દેવની પૂજા કરવાની પરંપરા માછીમાર સમુદાયના લોકોએ હજુ પણ જાળવી રાખી છે. વિધિવત્ દરિયાની પૂજા કરીને નારિયેળ પધરાવી પછીથી પોતાની નાવડીઓ દરિયાના ખોળે મુકાય છે. નારિયેળી પૂનમ ટાણે બધી હોડીઓ કિનારે લાંગરીને દરિયા સહિત માછીમારી માટે જરૂરી સાધન એવી નાવડીઓનું પણ પૂજન કરવામાં આવતું હોય છે. માછીમારી માટે દરિયો ખેડતા કોઈને પણ કોઈ નુકસાન ન પહોંચે તે માટે દરિયાલાલને પ્રાર્થના કરવામાં આવ્યા બાદ મધદરિયે દરિયાઈ ખેતી માટે માછીમાર સમુદાયના લોકો ઉતરતા હોય છે. આ પૂજા દ્વારા બારે માસ દરિયા દેવ માછીમાર ભાઇઓનું રક્ષણ કરે છે એવી આસ્થા સાથેની પરંપરા મુજબ દરેક માછીમારો નાળિયેર લઇને પૂજામાં બેસે છે.

આ પરંપરા અનુસાર દક્ષિણ ગુજરાતના માછીમાર સમાજ દ્રારા નારિયેળી પૂનમની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં માછીમારોએ દરિયાદેવનું પૂજન અર્ચન કરી નવી સિઝનનો પ્રારંભ કર્યો હતો. આ પ્રસંગે નવસારી જિલ્લાના બીલીમોરા નજીકના ધોલાઈ બંદરે લાંગરેલી સંખ્યાબંધ હોડીઓ સાથે અનોખાં દ્રશ્યો સર્જાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

The specified slider does not exist.

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

ઐતિહાસિક સમૃદ્ધ વારસાની ભવ્યતાને આજે પણ જીવંત રાખતું રાજવી સમયનું ધરમપુરનું લેડી વિલ્સન મ્યુઝિયમ…

ઐતિહાસિક સમૃદ્ધ વારસાની ભવ્યતાને આજે પણ જીવંત રાખતું રાજવી સમયનું ધરમપુરનું લેડી વિલ્સન મ્યુઝિયમ… ગુજરાતમાં સૌપ્રથમ આદિવાસી સંસ્કૃતિની ઓળખ સમા આ સંગ્રહાલયની છેલ્લા અઢી વર્ષમાં

તાપી નદીના કિનારે આવેલો સુરતનો ઐતિહાસિક કિલ્લો પ્રાચીન સંસ્કૃતિ, સુરતના ગૌરવ અને સમૃદ્ધ વારસાનું પ્રતિક

દિન વિશેષ: ૧૮ એપ્રિલ: વર્લ્ડ હેરિટેજ ડે તાપી નદીના કિનારે આવેલો સુરતનો ઐતિહાસિક કિલ્લો પ્રાચીન સંસ્કૃતિ, સુરતના ગૌરવ અને સમૃદ્ધ વારસાનું પ્રતિક ૨૦૨૨થી ૨૦૨૫ દરમિયાન

સુરત જિલ્લામાં ‘PM-PVTG ડેવલપમેન્ટ મિશન’ હેઠળ પીએમ જનમન આવાસ યોજના થકી આદિમ જૂથના પરિવારના બની રહેલા આવાસની મુલાકાત લેતા આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ

સુરત જિલ્લામાં ‘PM-PVTG ડેવલપમેન્ટ મિશન’ હેઠળ પીએમ જનમન આવાસ યોજના થકી આદિમ જૂથના પરિવારના બની રહેલા આવાસની મુલાકાત લેતા આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ સુરતના

માંગરોળ તાલુકાના લિંડયાતથી નાણા અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિ.ની છ વીજ કચેરીઓના ભવનોનું લોકાર્પણ

માંગરોળ તાલુકાના લિંડયાતથી નાણા અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિ.ની છ વીજ કચેરીઓના ભવનોનું લોકાર્પણ રૂ.નવ કરોડના ખર્ચે કીમ ઔદ્યોગિક

error: Content is protected !!