સુરત જિલ્લાના પલસાણા અને જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકામાં સૌથી વધુ ૮ ઇંચ વરસાદ નોધાયો

Facebook
Twitter
WhatsApp
Telegram

રાજ્યમાં ચોમાસાની શરૂઆત : રાજ્યના ૧૪૮ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ
 
સુરત જિલ્લાના પલસાણા અને જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકામાં સૌથી વધુ ૮ ઇંચ વરસાદ નોધાયો

રાજ્યમાં મેઘરાજાએ પધરામણી કરી લીધી છે. ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૧૪૮ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જેમાં સુરત જિલ્લાના પલસાણા તાલુકા અને જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકામાં સૌથી વધુ એટલે કે ૮ ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.

રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલ માહિતી મુજબ આજે તા.૧ જુલાઈ ૨૦૨૪ના રોજ સવારે ૬ કલાકે પુરા થતા ચોવીસ કલાક દરમિયાન સુરત જિલ્લાના મહુવા તાલુકામાં ૧૭૧ મિ.મી એટલે કે ૬.૮ ઇંચ, ઓલપાડ તાલુકા ૧૪૪ મિવમી એટલે કે ૫.૭૬ ઇંચ, કામરેજ તાલુકામાં ૧૪૩ મિ.મી એટલે કે ૫.૭૨, સુરત સિટીમાં ૧૩૮ મિ.મી એટલે કે ૫.૫૨ ઇંચ વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા ખાતે ૧૫૦ મિ.મી એટલે કે ૬ ઇંચ વરસાદ નોંધાયો હતો.વલસાડના વાપી તાલુકામાં ૧૨૯ મિ.મી એટલે કે ૫.૧૬ ઇંચ, કપરાડા તાલુકામાં ૧૧૩ મિ.મી એટલે કે ૪.૫૨ ઇંચ વરસાદ નોંધાયો હતો.

ભરૂચના જિલ્લાના ભરૂચ તાલુકામાં ૧૦૯ મિ.મી એટલે કે ૪.૩૬ ઇંચ, જૂનાગઢ જિલ્લાના જૂનાગઢ તાલુકામાં ૧૦૬ મિ.મી એટલે કે ૪.૨૪ ઇંચ, જૂનાગઢ સિટીમાં ૧૦૬ મિમી એટલે કે ૪.૨૪ ઇંચ, વિસાવદર તાલુકામાં ૧૦૩ મિમી એટલે કે ૪.૧૨ ઇંચ વરસાદ નોધાયો હતો.

આ ઉપરાંત નવસારી જિલ્લાના ખેરગામ, નવસારી, ગણદેવી, ચિખલી તેમજ મોરબી, રાણાવાવ, વાલોદ, કુકાવાવ વાડિયામાં અંદાજિત ૩ ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. જ્યારે ઉમરપાડા, ધોરાજી, અમદાવાદ સીટી, કેશોદ, વાગરા, ડોલવન, ધનસુરા, ભુજ, સાણંદ, સોનગઢ, ગઢડા, કડી, ખંભાળીયા, કલ્યાણપુર, માંડલ, ઇડર, માંડવી (કચ્છ), ગાંધીનગર, અને વાંસદા તાલુકામાં અંદાજિત ૨ ઇંચ વરસાદ થયો છે .

આ ઉપરાંત ગુજરાતના ૪૮ તાલુકાઓમાં અંદાજિત ૧ ઇંચ થી વધારે જયારે અન્ય ૩૯ તાલુકાઓમાં અડધો ઇંચથી વધુ વરસાદ નોંધાયો હોવાના અહેવાલો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

The specified slider does not exist.

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

કાછલ ગામના સરપંચ કલ્પના ચૌધરીને દિલ્હી ખાતે “વોટર લીડર” નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.

કાછલ ગામના સરપંચ કલ્પના ચૌધરીને દિલ્હી ખાતે “વોટર લીડર” નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. ભારત સરકારના જળશક્તિ મંત્રાલય અને ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ના સંયુક્ત

દિનવિશેષ- ૨૩ એપ્રિલ- વિશ્વ પુસ્તક દિવસ”

“દિનવિશેષ- ૨૩ એપ્રિલ- વિશ્વ પુસ્તક દિવસ” ૧૯૩૯ માં સ્થપાયેલી સુરતની સૌથી જૂની લાઈબ્રેરીઓમાંની એક ‘ધી કમર ફ્રી લાઈબ્રેરી’ સોદાગરવાડમાં આવેલી ‘ધી કમર ફ્રી લાઈબ્રેરી’માં ૧૧

રાજ્યના ખેડૂતોના હિતમાં ખેતી વિષયક વીજ જોડાણના નિયમોમાં રાજ્ય સરકારે કર્યા ઐતિહાસિક ફેરફાર

રાજ્યના ખેડૂતોના હિતમાં ખેતી વિષયક વીજ જોડાણના નિયમોમાં રાજ્ય સરકારે કર્યા ઐતિહાસિક ફેરફાર ૭-૧૨ના ઉતારામાં એક કરતા વધારે સહમાલીક હોય તો વીજ જોડાણ મેળવવા માટે

માનવ કલ્યાણ યોજના અંતર્ગત ૧૦ જેટલા વ્યવસાય કરવા માટે વિનામૂલ્યે સાધન સહાય કિટ્સ માટે અરજી કરવા અનુરોધઃ

માનવ કલ્યાણ યોજના અંતર્ગત ૧૦ જેટલા વ્યવસાય કરવા માટે વિનામૂલ્યે સાધન સહાય કિટ્સ માટે અરજી કરવા અનુરોધઃ અરજદારે https://e-kutir.gujarat.gov.in પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવા અનુરોધઃ

error: Content is protected !!