યુનેસ્કો દ્વારા ૨૦૨૩ના અમૂર્ત સાંસ્કૃતિક વારસા તરીકે ગુજરાતના ગરબાની થઈ પસંદગી

Facebook
Twitter
WhatsApp
Telegram

યુનેસ્કો દ્વારા ૨૦૨૩ના અમૂર્ત સાંસ્કૃતિક વારસા તરીકે ગુજરાતના ગરબાની થઈ પસંદગી

યુનેસ્કો દ્વારા બોત્સાવાના ખાતે આયોજિત સમારોહનું જીવંત પ્રસારણ અડાજણના પરફોર્મિંગ આર્ટ સેન્ટર ખાતે કરાયું

યુનેસ્કો દ્વારા ગરબાને ઈન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ જાહેર કરાતા કરોડો ગુજરાતીઓ માટે ગૌરવની ક્ષણ
ગુજરાતના પ્રાચીન ગરબા હવે રાજ્ય અને દેશના સીમાડા વટાવી વિશ્વભરમાં આગવી ઓળખ બની ચૂક્યા છે. ત્યારે UNESCO – યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશન, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઈઝેશન એટલે કે યુનેસ્કો એ ગુજરાતના ગરબાને ઈન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ તરીકે જાહેર કર્યા છે, જેના ભાગરૂપે યુનેસ્કો દ્વારા બોત્સાવાના ખાતે આયોજિત સમારોહનું જીવંત પ્રસારણનું અડાજણ સ્થિત પરફોર્મિંગ આર્ટ સેન્ટર ખાતે મનપાના સાંસ્કૃતિક સમિતિના અધ્યક્ષ શ્રીમતી સોનલબેન દેસાઈ હાજરીમાં સૌએ નિહાળ્યું હતું.
યુનેસ્કો દ્વારા તેને ઈન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ જાહેર થવું કરોડો ગુજરાતીઓ માટે ગૌરવની ક્ષણ બની છે, ત્યારે ગરબો એ ગુજરાત અને ભારતીય સંસ્કૃતિની વૈવિધ્યપૂર્ણ એકતાની પ્રતીતિ કરાવે છે. જાતિ- ધર્મ, ભાષા – બોલીના ભેદથી ઉપર ઉઠીને સામાજિક સમરસતા અને સમૂહજીવનને આકાર આપવામાં અને પ્રજાજીવનને ધબકતું રાખવામાં, જીવંત રાખવામાં ગરબાએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
શ્રીમતી સોનલબેન દેસાઈએ આ પ્રસંગે હર્ષ વ્યક્ત કરતા જણાવ્યું કે, ગરબો એ ભક્તિભાવ, સ્નેહ અને પારસ્પરિક સહકારનું પ્રતિબિંબ છે. આપણા સાંસ્કૃતિક વારસાના પ્રતિક સમો, સમુહમાં ગવાતો ગરબો એ સમાજ જીવનનું બહુમૂલ્ય અંગ છે જે પરસ્પર પ્રેરણા ઉત્સાહ ઉપરાંત મા આદ્યશક્તિના આવિર્ભાવથી પ્રગટતી ઉત્કટ ભાવનાનું પ્રતિક છે. સદીઓ પુરાણી આ પરંપરા આજના સાંપ્રત સમયમાં પણ જીવંત રહી છે અને આબાલવૃદ્ધ સૌ કોઈ માટે આ અણમોલ વિરાસતની વિશ્વસ્તરે નોંધ લેવાઈ રહી છે તેનો આનંદ અને સવિશેષ ગૌરવ પણ છે.
ગરબાને વિશ્વ સ્તરે ઓળખ મળતા સુરતની વિદ્યાર્થીનિઓએ અહીં ગરબા રમીને ઉજવણી કરી હતી.
આ પ્રસંગે આસિ. કમિશનર (રાંદેર ઝોન) પારુલબેન રાણા, કલ્ચરલ ડિપાર્ટમેન્ટ હેડ અને આસિ. કમિશનર ગાયત્રીબેન જરીવાલા, ડે. એકાઉન્ટન્ટ જ્યોતિબેન રાણા, શાળાના વિદ્યાર્થીઓ સહિત મનપાના વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

The specified slider does not exist.

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

સુરત જિલ્લામાં ‘PM-PVTG ડેવલપમેન્ટ મિશન’ હેઠળ પીએમ જનમન આવાસ યોજના થકી આદિમ જૂથના પરિવારના બની રહેલા આવાસની મુલાકાત લેતા આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ

સુરત જિલ્લામાં ‘PM-PVTG ડેવલપમેન્ટ મિશન’ હેઠળ પીએમ જનમન આવાસ યોજના થકી આદિમ જૂથના પરિવારના બની રહેલા આવાસની મુલાકાત લેતા આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ સુરતના

માંગરોળ તાલુકાના લિંડયાતથી નાણા અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિ.ની છ વીજ કચેરીઓના ભવનોનું લોકાર્પણ

માંગરોળ તાલુકાના લિંડયાતથી નાણા અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિ.ની છ વીજ કચેરીઓના ભવનોનું લોકાર્પણ રૂ.નવ કરોડના ખર્ચે કીમ ઔદ્યોગિક

માંડવી ખાતે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઇ હળપતિના અધ્યક્ષસ્થાને ન્યુ ગુજરાત પેટર્ન યોજના હેઠળ વર્ષ ૨૦૨૫-‘૨૬ માટે તાલુકા આદિજાતિ વિકાસ મંડળ દ્વારા આયોજનની બેઠક યોજાઈ

માંડવી ખાતે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઇ હળપતિના અધ્યક્ષસ્થાને ન્યુ ગુજરાત પેટર્ન યોજના હેઠળ વર્ષ ૨૦૨૫-‘૨૬ માટે તાલુકા આદિજાતિ વિકાસ મંડળ દ્વારા આયોજનની બેઠક યોજાઈ રૂ.૧૭.૬૧

ગુજરાતમાં ગત વર્ષ ૨૦૨૪માં અંદાજે ૧૨.૮૮ લાખથી વધુ દેશ-વિદેશના પ્રવાસીઓ વિવિધ ચાર ‘હેરિટેજ સાઈટ’ની મુલાકાતે

ગુજરાતમાં ગત વર્ષ ૨૦૨૪માં અંદાજે ૧૨.૮૮ લાખથી વધુ દેશ-વિદેશના પ્રવાસીઓ વિવિધ ચાર ‘હેરિટેજ સાઈટ’ની મુલાકાતે ગુજરાતની ચાર હેરિટેજ સાઈટ ચાંપાનેરને વર્ષ ૨૦૦૪માં ગુજરાતની પ્રથમ ‘હેરિટેજ

error: Content is protected !!