દિલ્હી ખાતે યોજાયેલ રાષ્ટ્રીય સરપંચ સંવાદ કાર્યક્રમમાં કાછલનાં સરપંચ કલ્પના ચૌધરીએ ભાગ લીધો.

Facebook
Twitter
WhatsApp
Telegram

દિલ્હી ખાતે યોજાયેલ રાષ્ટ્રીય સરપંચ સંવાદ કાર્યક્રમમાં કાછલનાં સરપંચ કલ્પના ચૌધરીએ ભાગ લીધો.

ભારત સરકારનાં ‘ભારતીય ગુણવત્તા પરિષદ’ વિભાગ દ્વારા નવી દિલ્હી ખાતે રાષ્ટ્રીય સરપંચ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશના ૮ રાજ્યોના ૪૦ પ્રતિભાશાળી મહિલા સરપંચોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. જેમાં ૪૦ પ્રતિભાશાળી મહિલા સરપંચોમાં કાછલ ગામના મહિલા સરપંચ કલ્પનાબેન ચૌધરીને પણ રાષ્ટ્રીય સરપંચ સંવાદ કાર્યક્રમમાં ભાગ લેવા માટે આમત્રણ આપવામાં આવ્યું હતું.
ભારત સરકાર દ્વારા ગુણવત્તાલક્ષી કામો થાય એ માટે ‘ભારતીય ગુણવત્તા પરિષદ’ વિભાગની રચના કરવામાં આવી છે. આ વિભાગ દ્વારા દેશમાં દરેક ક્ષેત્રમાં ગુણવત્તાયુક્ત કામો થાય એ માટેનાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે તે અંતર્ગત આ વિભાગ દ્વારા ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહાર, ઉત્તરપ્રદેશ, હરિયાણા અને ઉત્તરાખંડ આમ કુલ ૮ રાજ્યોના ૪૦ મહિલા સરપંચોને આમંત્રિત કરીને નવી દિલ્હીનાં વિશ્વ યુવક કેન્દ્ર ખાતે ૧૦ અને ૧૧ ડીસેમ્બર બે દિવસય રાષ્ટ્રીય સરપંચ સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ગ્રામીણ વિકાસ ક્ષેત્ર સાથે સંકળાયેલા દેશના વિવિધ મહાનુભાવો દ્વારા આ મહિલા સરપંચોને મહિલા અને બાળ વિકાસ તેમજ ખાસ કરીને ગ્રામ વિકાસમાં મહિલા સરપંચની મહત્વપૂર્વક ભૂમિકાઓ, વુમન ફ્રેન્ડલી પંચાયત જેવા વિવિધ વિષયો ઉપર ભક્તિ શર્મા, પુંસરીનાં પૂર્વ સરપંચ હિમાંશુ પટેલ, સુનીલ જાગલાન,પૌશાલી સરકાર સહીત સરપંચ સંવાદની ટીમ દ્વારા આ મહિલા સરપંચોને વિશેષ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ પ્રસંગે કાછલનાં સરપંચ કલ્પના ચૌધરીએ જણાવ્યું કે આ બે દિવસીય સરપંચ સંવાદ કાર્યક્રમમાં ‘ગ્રામ વિકાસ’ બાબતે ખુબ મહત્વની જાણકારીઓ પ્રાપ્ત થઇ અને દેશના નામાંકિત મહાનુભવોના હસ્તે માર્ગદર્શન મેળવ્યું અને ઘણુબધું શીખવા મળ્યું અને આ પ્રાપ્ત થયેલ જ્ઞાનનો ગામમાં સ્થાયી વિકાસમાં ઉપયોગ કરીને કાછલ ગામને પ્રગતિના પંથે આગળ લઇ જવાના સંકલ્પને સાકાર કરવા માટે પ્રયત્નશીલ બનીશ એમ તેઓએ જણાવ્યું હતું તેમજ ભારતની ૪૦ પ્રતિભાશાળી મહિલા સરપંચોમાં પસંદગી કરી રાષ્ટ્રીય સ્તરે સ્થાન આપવા બદલ ભારત સરકાર અને ભારતીય ગુણવત્તા પરિષદનો આભાર વ્યક્ત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

The specified slider does not exist.

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

સુરત જિલ્લામાં ‘PM-PVTG ડેવલપમેન્ટ મિશન’ હેઠળ પીએમ જનમન આવાસ યોજના થકી આદિમ જૂથના પરિવારના બની રહેલા આવાસની મુલાકાત લેતા આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ

સુરત જિલ્લામાં ‘PM-PVTG ડેવલપમેન્ટ મિશન’ હેઠળ પીએમ જનમન આવાસ યોજના થકી આદિમ જૂથના પરિવારના બની રહેલા આવાસની મુલાકાત લેતા આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ સુરતના

માંગરોળ તાલુકાના લિંડયાતથી નાણા અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિ.ની છ વીજ કચેરીઓના ભવનોનું લોકાર્પણ

માંગરોળ તાલુકાના લિંડયાતથી નાણા અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિ.ની છ વીજ કચેરીઓના ભવનોનું લોકાર્પણ રૂ.નવ કરોડના ખર્ચે કીમ ઔદ્યોગિક

માંડવી ખાતે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઇ હળપતિના અધ્યક્ષસ્થાને ન્યુ ગુજરાત પેટર્ન યોજના હેઠળ વર્ષ ૨૦૨૫-‘૨૬ માટે તાલુકા આદિજાતિ વિકાસ મંડળ દ્વારા આયોજનની બેઠક યોજાઈ

માંડવી ખાતે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઇ હળપતિના અધ્યક્ષસ્થાને ન્યુ ગુજરાત પેટર્ન યોજના હેઠળ વર્ષ ૨૦૨૫-‘૨૬ માટે તાલુકા આદિજાતિ વિકાસ મંડળ દ્વારા આયોજનની બેઠક યોજાઈ રૂ.૧૭.૬૧

ગુજરાતમાં ગત વર્ષ ૨૦૨૪માં અંદાજે ૧૨.૮૮ લાખથી વધુ દેશ-વિદેશના પ્રવાસીઓ વિવિધ ચાર ‘હેરિટેજ સાઈટ’ની મુલાકાતે

ગુજરાતમાં ગત વર્ષ ૨૦૨૪માં અંદાજે ૧૨.૮૮ લાખથી વધુ દેશ-વિદેશના પ્રવાસીઓ વિવિધ ચાર ‘હેરિટેજ સાઈટ’ની મુલાકાતે ગુજરાતની ચાર હેરિટેજ સાઈટ ચાંપાનેરને વર્ષ ૨૦૦૪માં ગુજરાતની પ્રથમ ‘હેરિટેજ

error: Content is protected !!