ચૂંટણી ફરજ પરના પોલીસ અધિકારી, કર્મચારીઓએ અઠવાલાઈન્સ સ્થિત પોલીસ ટ્રેનિંગ સેન્ટર ખાતે પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું

Facebook
Twitter
WhatsApp
Telegram

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪-સુરત
 
ચૂંટણી ફરજ પરના પોલીસ અધિકારી, કર્મચારીઓએ અઠવાલાઈન્સ સ્થિત પોલીસ ટ્રેનિંગ સેન્ટર ખાતે પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું
 
૧૫૯-સુરત પૂર્વ વિધાનસભા મતવિસ્તારના કેટેગરી-૨ ના ૫૬૭ પોલીસ અધિકારી-કર્મચારીઓ, હોમગાર્ડઝએ પોસ્ટલ બેલેટથી મતાધિકારનો ઉપયોગ કર્યો
ચૂંટણી ફરજમાં રોકાયેલા સરકારી કર્મીઓ મતાધિકારથી વંચિત ન રહી જાય તે માટે ચૂંટણી પંચ દ્વારા પોસ્ટલ બેલેટથી મતદાનની સુવિધા આપવામાં આવે છે. પોલીસકર્મીઓ અને હોમગાર્ડઝ તથા સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સના કર્મચારીઓ દ્વારા પોસ્ટલ બેલેટથી મતદાન કરવા માટે ભરવામાં આવેલા ફોર્મ-૧૨ તેમના સંબંધિત મત વિભાગના ચૂંટણી અધિકારીઓને સુપ્રત કરવામાં આવ્યા હતા, જેના અનુસંધાને ચૂંટણી ફરજ પર રોકાયેલા પોલીસ અધિકારી-કર્મચારીઓએ અઠવાલાઈન્સ સ્થિત પોલીસ લાઈન કેમ્પસ, પોલીસ ટ્રેનિંગ સેન્ટર ખાતે ઉભા કરાયેલા આદર્શ મતદાન કેન્દ્ર પર પોસ્ટલ બેલેટથી મત આપી વોટીંગ પ્રક્રિયામાં સહભાગી થયા હતા.
પોસ્ટલ બેલેટથી વોર્ટીગની પ્રક્રિયામાં સમગ્ર દિવસ દરમિયાન ૧૫૯-સુરત પૂર્વ વિધાનસભા મતવિસ્તારના કેટેગરી-૨ ના ૫૬૭ પોલીસ અધિકારી-કર્મચારીઓ, હોમગાર્ડઝએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. અઠવાલાઈન્સના પોલીસ તાલીમ કેન્દ્ર ખાતે ડી.સી.પી. (ક્રાઈમ બ્રાન્ચ) બી.પી. રોઝીયા, ACP (જી ડિવિઝન, પોસ્ટલ બેલેટ પોલીસ નોડલ) વી.આર. મલ્હોત્રા, DCBના પી.આઈ શ્રી કે. આઈ મોદી, પી.આઈ સર્વશ્રી જે.એન.ઝાલા, એસ.એન.પરમાર, જે.એન, ગૌસ્વામી, એ.એન.મોરી સહિત પોલીસ અધિકારી-કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, સુરત પૂર્વ વિધાનસભા મતવિસ્તારના પોલીસ સ્ટાફ સહિત હોમગાર્ડ ક્રમ નં. ૧થી ૫૦૦એ પોસ્ટલ બેલેટથી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, જ્યારે બાકી રહેલા પોલીસ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓનું તા.૦૧/૦૫/૨૦૨૪ના રોજ અઠવાલાઈન્સ સ્થિત પોલીસ ટ્રેનિંગ સેન્ટર ખાતે પોસ્ટલ બેલેટ મતદાન યોજાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

The specified slider does not exist.

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

ઐતિહાસિક સમૃદ્ધ વારસાની ભવ્યતાને આજે પણ જીવંત રાખતું રાજવી સમયનું ધરમપુરનું લેડી વિલ્સન મ્યુઝિયમ…

ઐતિહાસિક સમૃદ્ધ વારસાની ભવ્યતાને આજે પણ જીવંત રાખતું રાજવી સમયનું ધરમપુરનું લેડી વિલ્સન મ્યુઝિયમ… ગુજરાતમાં સૌપ્રથમ આદિવાસી સંસ્કૃતિની ઓળખ સમા આ સંગ્રહાલયની છેલ્લા અઢી વર્ષમાં

તાપી નદીના કિનારે આવેલો સુરતનો ઐતિહાસિક કિલ્લો પ્રાચીન સંસ્કૃતિ, સુરતના ગૌરવ અને સમૃદ્ધ વારસાનું પ્રતિક

દિન વિશેષ: ૧૮ એપ્રિલ: વર્લ્ડ હેરિટેજ ડે તાપી નદીના કિનારે આવેલો સુરતનો ઐતિહાસિક કિલ્લો પ્રાચીન સંસ્કૃતિ, સુરતના ગૌરવ અને સમૃદ્ધ વારસાનું પ્રતિક ૨૦૨૨થી ૨૦૨૫ દરમિયાન

સુરત જિલ્લામાં ‘PM-PVTG ડેવલપમેન્ટ મિશન’ હેઠળ પીએમ જનમન આવાસ યોજના થકી આદિમ જૂથના પરિવારના બની રહેલા આવાસની મુલાકાત લેતા આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ

સુરત જિલ્લામાં ‘PM-PVTG ડેવલપમેન્ટ મિશન’ હેઠળ પીએમ જનમન આવાસ યોજના થકી આદિમ જૂથના પરિવારના બની રહેલા આવાસની મુલાકાત લેતા આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ સુરતના

માંગરોળ તાલુકાના લિંડયાતથી નાણા અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિ.ની છ વીજ કચેરીઓના ભવનોનું લોકાર્પણ

માંગરોળ તાલુકાના લિંડયાતથી નાણા અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિ.ની છ વીજ કચેરીઓના ભવનોનું લોકાર્પણ રૂ.નવ કરોડના ખર્ચે કીમ ઔદ્યોગિક

error: Content is protected !!