નવી સિવિલમાં એસિડ પીવાના કારણે અન્નનળીની ઈજા પામેલી બે મહિલાઓની અત્યાધુનિક લેઝર મશીનથી સફળ સર્જરી

Facebook
Twitter
WhatsApp
Telegram

નવી સિવિલમાં એસિડ પીવાના કારણે અન્નનળીની ઈજા પામેલી બે મહિલાઓની અત્યાધુનિક લેઝર મશીનથી સફળ સર્જરી

લેઝર મશીનથી અન્નનળીનું ફાઈબ્રોસિસ દૂર થઈ શકે છે: સ્વરપેટી કાઢ્યા વિના બે મહિલાઓની અન્નનળીમાંથી ફાઈબ્રોસિસ દૂર થતા સ્વસ્થ થઈ
સુરત સિવિલ હોસ્પિટલમાં જટિલ સર્જરી કરવામાં સર્જીકલ વિભાગના ડોકટરોએ સફળતા મેળવી છે. એસિડ પીવાના કારણે બે મહિલાઓની ખરાબ થયેલી અન્નનળીનું સ્વરપેટી કાઢ્યા વિના ઓપરેશન કરીને તેમાં જામેલા ફાઈબ્રોસિસના ટીસ્યુ દૂર કરવામાં નવી સિવિલના તબીબોને સફળતા મળી છે.
સિવિલ હોસ્પિટલના સર્જરી વિભાગના હેડ ડો.નિમેષ વર્માની ટીમ દ્વારા એસિડ પીનાર બે મહિલાઓની જટિલ સર્જરી કરવામાં આવી હતી. એસિડ પીવાના કારણે ફાઈબ્રોસિસ થઈ જતા અન્નનળી બંધ થઇ જતી હોય છે, જેના કારણે દર્દી ખોરાક લઈ શકતો નથી. દર્દીના શરીરમાં ખોરાક પહોંચાડવા સર્જરી કરીને મુખની નળી સાથે મોટુ આંતરડુ જોડવામાં આવતુ હતું. જે માટે સ્વરપેટી પણ કાઢી નાખવામાં આવતી હતી. દર્દી બચી જાય છે, પરંતુ સ્વરપેટી વિના તે જીવનભર બોલી શકતો નથી. પરંતુ અત્યાધુનિક લેઝર મશીનથી સ્વર પેટી કાઢ્યા વિના સર્જરી શક્ય બની છે. નવી સિવિલમાં સિવિલમાં નવા લેઝર મશીન આવવાના કારણે હવે બે મહિલાઓની લેઝર મશીન દ્વારા સફળ સર્જરી કરવામાં તબીબોને સફળતા પ્રાપ્ત થઈ છે.
વધુ વિગતો આપતા એસોસિએટ પ્રોફેરસ ડો.દેવેન્દ્ર આર.ચૌધરીએ જણાવ્યું કે, લેઝર મશીનથી દર્દીની અન્નનળીને ખોલવામાં આવે છે, જેના કારણે સ્વરપેટી કાઢવામાં આવતી નથી. અગાઉ આવા ઓપરેશનો અમદાવાદ અને મુંબઈમાં થતા હતા. પરંતુ લેઝર મશીન આવવાના કારણે એસિડ પીનાર દર્દીઓની નવી સિવિલમાં જ સર્જરી શક્ય બની છે. આ મશીનથી ફાઈબ્રોસિસના ટીસ્યુ દૂર થતા દર્દીને ઝડપભેર સ્વસ્થ થઈ જાય છે. એસિડ પીવાના કારણે એક મહિલાની થોડા સમય પહેલા સફળ સર્જરી કરવામાં આવી હતી. જે સ્વસ્થ થઈ જતા રજા આપવામાં આવી છે, જ્યારે આજે વધુ એક મહિલાની લેઝર મશીનથી સફળ સર્જરી કરવામાં આવી છે, મહિલાની સ્વાસ્થ્ય સુધારા પર છે. એક સપ્તાહ બાદ એન્ડોસ્કોપી કરી યોગ્ય જણાયે તેને રજા અપાશે એમ ડો.ચૌધરીએ ઉમેર્યું હતું.

Leave a Comment

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજી સાથે પોર્ટુગલ અને સ્લોવેકિયા જનાર પ્રતિનિધિમંડળમાં લોકસભાના દંડક વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલનો સમાવેશ

રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજી સાથે પોર્ટુગલ અને સ્લોવેકિયા જનાર પ્રતિનિધિમંડળમાં લોકસભાના દંડક વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલનો સમાવેશ ભારતના પ્રતિનિધિત્વ માટે અન્ય સાંસદો સાથે સાંસદ ધવલ

બાળમજૂરી નાબુદી અંતર્ગત સુરત જિલ્લા ટાસ્કફોર્સની ટીમે મહુવા તાલુકામાંથી ૨ તરૂણ શ્રમિકોને મુક્ત કરાવ્યા

બાળમજૂરી નાબુદી અંતર્ગત સુરત જિલ્લા ટાસ્કફોર્સની ટીમે મહુવા તાલુકામાંથી ૨ તરૂણ શ્રમિકોને મુક્ત કરાવ્યા બાળમજૂરી નાબૂદી માટે જિલ્લા ટાસ્ક ફોર્સની ટીમે સુરત જિલ્લાના મહુવા તાલુકાની

પરમાર્થ ફાઉન્ડેશનના કોમલ બચકાનીવાલાએ પોતાનો જન્મદિન સેવાભાવના સાથે નવી સિવિલના બાળદર્દીઓ સાથે ઉજવ્યો

પરમાર્થ ફાઉન્ડેશનના કોમલ બચકાનીવાલાએ પોતાનો જન્મદિન સેવાભાવના સાથે નવી સિવિલના બાળદર્દીઓ સાથે ઉજવ્યો રામનવમીના પવિત્ર પર્વે નવી સિવિલ હોસ્પિટલના બાળદર્દીઓને રમકડાં, ચોકલેટ, ફુગ્ગાઓ અને મીઠાઈ

ઓલપાડ ખાતે વન, પાણી પૂરવઠા રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જળ સંચયના કાર્યોની પ્રગતિની સમીક્ષા બેઠક યોજાઈ

ઓલપાડ ખાતે વન, પાણી પૂરવઠા રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જળ સંચયના કાર્યોની પ્રગતિની સમીક્ષા બેઠક યોજાઈ ઓલપાડના દરિયાકાંઠાના ૨૮ ગામોમાં મહત્તમ વોટર રિચાર્જ સ્ટ્રકચર બનાવાશે: