પૂર્વ મુખ્યમંત્રીશ્રીના નશ્વર દેહને ગાર્ડ ઓફ ઓનર આપી સન્માન અપાયું

Facebook
Twitter
WhatsApp
Telegram

રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના પાર્થિવ દેહને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ સન્માનપૂર્વક તેમના પરિજનોને સોંપવામાં આવ્યો

પૂર્વ મુખ્યમંત્રીશ્રીના નશ્વર દેહને ગાર્ડ ઓફ ઓનર આપી સન્માન અપાયું

અમદાવાદ
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નિધનના સમાચારથી સમગ્ર રાજ્યમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.

આજ રોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં દિવંગત નેતાના પાર્થિવ દેહને રાજ્ય સરકારી માનદંડ અનુસાર ગાર્ડ ઓફ ઓનર આપી સન્માનિત કરવામાં આવ્યો હતો.


પાર્થિવ દેહને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ તેમનાં ધર્મપત્ની અને પુત્ર સહિતના પરિવારજનોને સંપૂર્ણ સન્માન સાથે સોંપવામાં આવ્યો. સમગ્ર પ્રક્રિયા રાજ્યના પ્રોટોકોલ અનુસાર અને શ્રદ્ધાપૂર્વક કરવામાં આવી હતી.

રાજ્ય સરકારે તેમના યુગદર્શી નેતૃત્વ, જાહેર જીવનમાં નૈતિકતા અને કરુણા, લોકહિતનાં કાર્યોને સ્મરણ કરી, તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા.સિવિલ હોસ્પિટલ ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની ની સાથે  આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, સહકાર મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા,  રાજ્યસભા સાંસદ મયંક નાયક સહિત રાજકીય આગેવાનો, ઉચ્ચ અધિકારીશ્રીઓ તેમજ અનેક સંસ્થાઓ -સમુદાયોના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા.

૧૨ જૂનના રોજ વિમાન દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનું અવસાન થતાં રાજ્ય શોકાતુર બન્યું હતું. તેમની અંતિમ યાત્રા રાજકોટ ખાતે યોજાનાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

The specified slider does not exist.

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

મહુવાના તલગાજરડા ગામ નજીક રાતોલ-તલગાજરડા રોડ ઉપરથી જતા મોડેલ હાઈસ્કૂલના અંદાજિત 38 જેટલા વિદ્યાર્થીઓને સલામત રીતે બચાવી લેવાયા

મહુવાના તલગાજરડા ગામ નજીક રાતોલ-તલગાજરડા રોડ ઉપરથી જતા મોડેલ હાઈસ્કૂલના અંદાજિત 38 જેટલા વિદ્યાર્થીઓને સલામત રીતે બચાવી લેવાયા આજે બપોરે આશરે 1:00 કલાકે ભાવનગરના મહુવા

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ સુરતના શાહ દંપતિના નશ્વરદેહ પરિવારજનોને સોંપાયાઃ

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ સુરતના શાહ દંપતિના નશ્વરદેહ પરિવારજનોને સોંપાયાઃ અમદાવાદ ખાતે થયેલી એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર દિવંગતોના પરિજનોના ડી.એન.એ. સેમ્પલ મેચ

કામરેજ, ઓલપાડ, કિમ અને કોસંબા પોલીસ સ્ટેશન દ્વારા જપ્ત વાહનોની તા.૨૩મી જૂને જાહેર હરાજી: જાહેર જનતા, વેપારીઓ સંબંધિત પો.સ્ટે.માં હરાજીમાં ભાગ લઈ શકશે

કામરેજ, ઓલપાડ, કિમ અને કોસંબા પોલીસ સ્ટેશન દ્વારા જપ્ત વાહનોની તા.૨૩મી જૂને જાહેર હરાજી: જાહેર જનતા, વેપારીઓ સંબંધિત પો.સ્ટે.માં હરાજીમાં ભાગ લઈ શકશે કામરેજ ડિવીઝનના

પ્રાકૃતિક કૃષિ ‘લેખમાળા- ૩૦ :સુરત જિલ્લો

પ્રાકૃતિક કૃષિ ‘લેખમાળા- ૩૦ :સુરત જિલ્લો’ જેના વગર દરેક રસોઈ અધુરી છે તેવા શાકભાજીના રાજા બટેટાની લાભકારક ખેતી બટેટા પ્રોટીન, સ્ટાર્ચ અને વિટામિન સી ઉપરાંત

error: Content is protected !!