ધરમપુરમાં સ્વામી વિશ્વાત્માનંદજીના વરદહસ્તે વિવેકાનંદ વેલ્યુ એજ્યુકેશન એન્ડ વોકેશનલ ટ્રેનિંગ સેન્ટરનું ખાતમુહૂર્ત

Facebook
Twitter
WhatsApp
Telegram

ધરમપુરમાં સ્વામી વિશ્વાત્માનંદજીના વરદહસ્તે વિવેકાનંદ વેલ્યુ એજ્યુકેશન એન્ડ વોકેશનલ ટ્રેનિંગ સેન્ટરનું ખાતમુહૂર્ત

વિવેકાનંદ વેલ્યુ એજ્યુકેશન એન્ડ વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર આવનારા દિવસોમાં ધરમપુર તાલુકાના વિદ્યાર્થીઓના મૂલ્યનિષ્ઠ શિક્ષણનું મુખ્ય કેન્દ્ર બની રહેશે : સ્વામી નિખિલેશ્વરાનંદજી

                શ્રી રામકૃષ્ણ વિવેકાનંદ સેવા સમિતિ ટ્રસ્ટ ધરમપુર દ્વારા નવનિર્માણ પામનારા વિવેકાનંદ વેલ્યુ એજ્યુકેશન એન્ડ વોકેશનલ ટ્રેનિંગ સેન્ટરનું ખાતમુહૂર્ત સોમવારે શ્રી રામકૃષ્ણ અદ્વૈત આશ્રમ વારાણસીના અધ્યક્ષ સ્વામી વિશ્વાત્માનંદજીના વરદહસ્તે કરવામાં આવ્યું હતું ગુજરાતભરના શ્રી રામકૃષ્ણ મિશનના ગણમાન્ય સન્યાસીઓ, શારદામઠ વલસાડના માતાજીઓ, શ્રીમદ રાજચંદ્ર મિશનના ગુરુદેવ રાકેશભાઈ ઝવેરી, ભાગવતાચાર્ય શરદભાઈ વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા, ખાતમુહૂર્તની વિધિ રામકૃષ્ણદેવના પ્રણામીમંત્રના સથવારે સંપન્ન થઇ હતી.

આ પ્રસંગે ડો દોલતભાઈ દેસાઈએ તમામને આવકારી ટ્રસ્ટની વિવિધ માનવહિતકારી પ્રવૃતિઓનો ચિતાર આપ્યો હતો, બાદ સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજે જણાવ્યુ કે અહીં બનનારું વિવેકાનંદ વેલ્યુ એજ્યુકેશન એન્ડ વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર આવનારા દિવસોમાં વિદ્યાર્થીઓના મૂલ્યનિષ્ઠ શિક્ષણનું મુખ્ય કેન્દ્ર બની રહેશે સાથે સાથે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ કરી વિદ્યાર્થીઓના શૈક્ષણિક જીવનને નવી દિશા આપશે, આજનો જમાનાના વિદ્યાર્થીઓની દરેક સામાન્યનું સમાધાન સ્વામી વિવેકાનંદજીના પુસ્તકોમાંથી મળશે એમાં જણાવી વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ, આત્મ નિર્ભરતા, આત્મજ્ઞાન, અને આત્મસંયમ જેવા ગુણોનો વિકાસ કરવા હાકલ કરી હતી

ખાતમુહૂર્ત કરનારા સ્વામી વિશ્વાત્માનંદજી મહારાજે જણાવાયું કે રામકૃષ્ણ મિશન એ રાષ્ટ્ર ઘડતરનો મુખ્ય પ્રવાહ છે અને આ એક વૈશ્વિક ભાવધારા છે, જીવનમાં મૂલ્યનો સંચાર થાય તો બહુ મોટી ક્રાંતિ આવે છે જેથી ધરમપુરમાં આર્ક પામનારું આ સેન્ટર આવનારા વર્ષોના વર્ષો સુધી આ વિસ્તારના વિદ્યાર્થીઓ મૂલ્યલક્ષી અને ચારિત્ર્યનિર્માણ પામે એવું શિક્ષણની સાથે કેળવણી પીરસતુ રહેશે

આ પ્રસંગે સ્વામી ગુનેશ્રયાનંદજી મહારાજ (લીંબડી), સ્વામી આત્મદીપાનંદજી મહારાજ (પોરબંદર) સ્વામી ઇષ્ટમયાનંદજી મહારાજ (વડોદરા) સ્વામી મંત્રેશાનંદજી મહારાજ (આદિપુર) સ્વામી પ્રભુસેવાનંદજી મહારાજ (અમદાવાદ) અને ભાગવતાચાર્ય શરદભાઈ વ્યાસે પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. આ ખાતમુહૂર્તની પ્રસંગના અનુસંધાને રવિવારની રાત્રે મોટા બજાર સ્થિત લક્ષ્મીનારાયણ મંદિર પરિસરમાં વિવેકાનંદ લાઈટ એન્ડ સાઉન્ડ શો જોઈ વિવેકાનંદમય બન્યા હતા

સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ પ્રતિક કોટકે આટોપી હતી.

Leave a Comment

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજી સાથે પોર્ટુગલ અને સ્લોવેકિયા જનાર પ્રતિનિધિમંડળમાં લોકસભાના દંડક વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલનો સમાવેશ

રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજી સાથે પોર્ટુગલ અને સ્લોવેકિયા જનાર પ્રતિનિધિમંડળમાં લોકસભાના દંડક વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલનો સમાવેશ ભારતના પ્રતિનિધિત્વ માટે અન્ય સાંસદો સાથે સાંસદ ધવલ

બાળમજૂરી નાબુદી અંતર્ગત સુરત જિલ્લા ટાસ્કફોર્સની ટીમે મહુવા તાલુકામાંથી ૨ તરૂણ શ્રમિકોને મુક્ત કરાવ્યા

બાળમજૂરી નાબુદી અંતર્ગત સુરત જિલ્લા ટાસ્કફોર્સની ટીમે મહુવા તાલુકામાંથી ૨ તરૂણ શ્રમિકોને મુક્ત કરાવ્યા બાળમજૂરી નાબૂદી માટે જિલ્લા ટાસ્ક ફોર્સની ટીમે સુરત જિલ્લાના મહુવા તાલુકાની

પરમાર્થ ફાઉન્ડેશનના કોમલ બચકાનીવાલાએ પોતાનો જન્મદિન સેવાભાવના સાથે નવી સિવિલના બાળદર્દીઓ સાથે ઉજવ્યો

પરમાર્થ ફાઉન્ડેશનના કોમલ બચકાનીવાલાએ પોતાનો જન્મદિન સેવાભાવના સાથે નવી સિવિલના બાળદર્દીઓ સાથે ઉજવ્યો રામનવમીના પવિત્ર પર્વે નવી સિવિલ હોસ્પિટલના બાળદર્દીઓને રમકડાં, ચોકલેટ, ફુગ્ગાઓ અને મીઠાઈ

ઓલપાડ ખાતે વન, પાણી પૂરવઠા રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જળ સંચયના કાર્યોની પ્રગતિની સમીક્ષા બેઠક યોજાઈ

ઓલપાડ ખાતે વન, પાણી પૂરવઠા રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જળ સંચયના કાર્યોની પ્રગતિની સમીક્ષા બેઠક યોજાઈ ઓલપાડના દરિયાકાંઠાના ૨૮ ગામોમાં મહત્તમ વોટર રિચાર્જ સ્ટ્રકચર બનાવાશે: